શું તમે જાણો છો કે પૂજામાં દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઇએ અને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. પૂજામાં ક્યારેય પણ ખંડિત દીપક પ્રગટાવો જોઇએ નહીં.
દેવી દેવતાની પૂજામાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. જે લોકો વિધિ વિધાનથી પૂજા કરી શકતા નથી, એ ભગવાનની સામે માત્ર દીવો પ્રગટાવીને પૂજા કરે છે. દીવાથી આરતી ઊતારે છે. આરતી બાદ જ પૂજન કર્મ પૂર્ણ થાય છે. આરતીના મહત્વને જોતા દીવો તૈયાર કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
દીપકથી જોડાયેલા ખાસ નિયમ
પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે ઘી નો દીવો તમારી ડાબી બાજુ અને તેલનો દીપક જમણી બાજુ પ્રગટાવો જોઇએ.
દીપક પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઇએ मंत्र शुभम् करोति कल्याणं, आरोग्यं धन संपदाम्। शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।। આ મંત્રનો સરળ અર્થ છે કે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, દુશ્મન બુદ્ધિનો વિનાશ કરનારી દીપકની જ્યોતને આપણે પ્રણામ કરીએ છીએ.
આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઇએ કે પૂજાની વચ્ચે દીવો ઓલવાય નહીં, આવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી.
ભગવાનની મૂર્તિની ઠીક સામે દીપક રાખવો જોઇએ. ક્યારેય પણ પ્રતિમાની પાછળ અથવા આજુ બાજુ દીપક રાખવો જોઇએ નહીં.
ઘી ના દીપક માટે સફેદ રૂ ની દીવેટ શુભ માનવામાં આવે છે અને તેલના દીવા માટે લાલ દોરાની દીવેટ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ક્યારેય પણ ખંડિત દીપક પ્રગટાવો જોઇએ નહીં, ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી.