સામાન્ય રીતે મંદિર જવાનું ધાર્મિકતા સાથે જોડવામાં આવે છે, પરંતુ મંદિર જવાના કેટલાક વૈજ્ઞાનિક હેલ્થ બેનિફિટ્સ પણ છે. જો તમે રોજ મંદિર જતા હો તો ઘણા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ કન્ટ્રોલ કરી શકાય છે. મંદિર રોજ જતા હોય તે વ્યક્તિને ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે
રોજ મંદિરે જવાથી મન પ્રફુલ્લિત રહે છે
મંદિરે જવાથી પોઝિટિવ એનર્જી મળે છે
રોજ મંદિર જવાથી એકાગ્રતા વધે છે
હાઈ બીપી કન્ટ્રોલમાં રહે છે
મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી ત્યાંની પોઝિટીવ એનર્જી પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. ખુલ્લા પગે ચાલવાના કારણે પગમાં રહેલા પ્રેશર પોઇન્ટ પર દબાણ આવે છે તેનાથી હાઇ બીપીનો પ્રોબલેમ કન્ટ્રોલમાં રહે છે.
એકાગ્રતા વધે છે
રોજ મંદિર જવાથી તેમજ માથા પર તિલક કરવાથી આપણા બ્રેનના ખાસ હિસ્સા પર દબાણ પડે છે. તેનાથી કોન્સનટ્રેશન વધે છે. ચંદન કે કુમકુમના તિલકથી મન પ્રફુલ્લિત રહે છે અને મગજ ઠંડુ રહે છે. તિલક કરવાથી એક અદભુત અનૂભુતિ થાય છે.
એનર્જી લેવલ વધે છે
સંશોધનો કહે છે કે જ્યારે આપણે મંદિરની ઘંટી વગાડીએ છીએ ત્યારે સાત સેકન્ડ સુધી ઘંટનો અવાજ આપણા કાનમાં ગુંજતો રહે છે. આ દરમિયાન શરીરને આરામ આપતા સાત પોઇન્ટ એક્ટિવ થાય છે. તેનાથી એનર્જી લેવલ વધારવામાં હેલ્પ મળે છે.
ઈમ્યૂનિટી વધે છે
મંદિરમાં બે હાથ જોડીને પૂજા કરવાથી હથેળીઓ અને આંગળીઓના એ પોઇન્ટ્સ પર દબાણ વધે છે જે શરીરના બીજા ઘણા પાર્ટ્સ સાથે જોડાયેલા હોય છે. તેનાથી બોડી ફંકશન સુધરે છે અને ઈમ્યૂનિટી વધે છે.
બેક્ટેરિયાથી બચી શકાય છે
મંદિરમાં રહેલું કપૂર, ગુગળ અને અન્ય પવિત્ર વસ્તુઓથી કરાતો ધુપ, હવનનો ધુમાડો બેક્ટેરિયા ખતમ કરે છે. આ ધુમાડાથી બેક્ટેરિયાનો નાશ થતા વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળે છે.
સ્ટ્રેસ-ડિપ્રેશન દૂર થાય છે
મંદિરનું શાંત વાતાવરણ અને શંખનો અવાજ વ્યક્તિને મેન્ટલી રિલેક્સ કરે છે તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે. રોજ મંદિર જઇને ભગવાનની આરતી સાંભળવાથી બ્રેન ફંકશન સુધરે છે. તેનાથી ડિપ્રેશન પણ દૂર થાય છે.