જો તમારુ પોસ્ટ ઑફિસમાં ખાતુ છે તો 1 એપ્રિલથી લાગૂ થઇ રહેલા આ નિયમથી તમે ટેન્શનમાં આવી જશો.
પોસ્ટ ઑફિસમાં ખાતુ છે તો જાણો નિયમ
નિયમોમાં થયા બદલાવ
10હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર ચાર્જ લાગશે
શું છે નિયમ
આ નવા નિયમને 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવી રહ્યો છે. તેના હેઠળ હવે એક લિમિટથી વધારે પૈસા ઉપાડવા પર કે કેશને જમા કરાવવા પર ચાર્જ લાગશે. તો બીજી તરફ સેવિંગ અકાઉન્ટ માટે ડિપોઝીટ સંપૂર્ણ રીતે મફત હશે અને એક મહિનામાં ફક્ત ચાર વાર જ ચાર્જ નહી લાગે. તે બાદ પૈસા ઉપાડવા પર પણ ચાર્જ લાગશે.
કરંટ અકાઉન્ટની વાત કરીએ તો 25 હજાર રૂપિયા સુધી કોઇ ચાર્જ નહી લાગે પરંતુ તે બાદથી 25 રૂપિયાનો ચાર્જ લાગવાનો શરૂ થશે. વાત પૈસા જમા કરાવવાની છે તો 10 હજાર રૂપિયા જમા કરાવવા ફ્રી હશે પરંતુ તે બાદ 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
આધાર આધારિત AEPS ટ્રાંઝેક્શન પર કોઇ પ્રકારનો નિયમ લાગૂ નહી પડે. આ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. નોન આઇપીપીબી નેટવર્ક પર મહિનામાં ત્રણ ટ્રાંઝેક્શન ફ્રી છે અને કેશ જમા કરાવવા કે ઉપાડવા બંને સામેલ છે. ત્રણ ટ્રાંઝેક્શન બાદ તેના પર પણ ચાર્જ લેવામાં આવશે. જેની કિંમત 20 રૂપિયા હશે.
તમને જણાવી દઇએ કે આ ચાર્જમાં એક પણ ચાર્જ GST નથી. તે ચાર્જ અલગથી કપાશે અને ગ્રાહકોને આ બદલાવની જાણકારી મેસેજ દ્વારા આપવામાં આવી રહી છે.