વાયરલ ફોટોમાં દાવો કરાયો છે કે દેશમાં 3મેથી 20મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે, સૂત્રોના આધારે નવી ગાઈડલાઈન જાહેર પણ કરી દેવામાં આવી છે તો જાણો શું છે આ ન્યૂઝની સચ્ચાઈ.
દેશમાં કોરોના વાયરસનો વધી રહ્યો છે કહેર
શું ત્રીજી મેથી દેશભરમાં લૉકડાઉન?
આ દાવા પર સરકારે શું કરી સ્પષ્ટતા
દેશમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બગડી ચૂકી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક જિંદગી ખતમ થઈ છે. કોરોના વાયરસનો કહેર હજુ થમ્યો નથી અને રોજ લાખો લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે તો અન્ય તરફ રોજ કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આ સમયે સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયયરલ થઈ રહ્યો છે જેમાં 3મેથી દેશમાં લોકડાઉન લગાવવાની વાત કરવામાં આવી રહી છે.
सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
વાયરલ ફોટોમાં પીએમના ફોટો સાથે કરાયો છે દાવો
વાયરલ થઈ રહેલા ફોટોમાં દાવો કરાયો છે કે દેશમાં 3મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. સૂત્રોના આધારે કહેવાયું છે કે લોકડાઉનની નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ છે અને સાથે જ તેમાં પીએમ મોદીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. સાથે કહેવાયું છે કે દેશના દરેક રાજ્યોએ તેની પર સહમતિ દેખાડી છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટો ખોટો
સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટો સંપૂર્ણ રીતે ખોટો છે. પીઆઈબી ફેક્ટ ચેકની તરફથી આ દાવાની તપાસ કરાઈ છે. પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે 3મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ લોકડાઉનને ગણાવ્યું છેલ્લું હથિયાર
હાલમાં કરેલા એક સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું કે લોકડાઉન આખરી હથિયાર છે. પીએમ મોદીએ રાજ્યોને પણ સલાહ આપી છે કે લોકડાઉનને આખરી વિકલ્પના રૂપમાં ઉપયોગ કરવો. પીએમ મોદીએ કહ્યું કે દેશને આ સ્થિતિમાં લોકડાઉનથી બચાવવો જરૂરી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને કહ્યું કે કોરોના સંક્રમણ ઘટાડવા માટે આખા રાજ્યમાં લોકડાઉન ન લગાવીને જે વિસ્તારોમાં સંક્રમણ વધારે છે ત્યાં પાબંધી લગાવવામાં આવે.