અમિત શાહે જણાવ્યું કે દેશની જનતા સુરક્ષાના મુદ્દે મતદાન કરી રહી છે, લોકસભા 2019ની ચૂંટણીના પ્રથમ બંને તબક્કાથી એ સાબિત થઇ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પત્રકાર પરીષદ યોજી. અમિત શાહે જણાવ્યું કે દેશની જનતા સુરક્ષાના મુદ્દે મતદાન કરી રહી છે, લોકસભા 2019ની ચૂંટણીના પ્રથમ બંને તબક્કાથી એ સાબિત થઇ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યાં છે.
દેશની સુરક્ષા પર વિપક્ષ મૌન ધારણ કરી બેઠ્યું છે, વિપક્ષના નેતા દેશની સામે રાખી શક્યા નથી અને કોઇ રણનીતિ રાખી શક્યા. અમારી સરકારે પોતાના કાર્યકાળમાં ગરીબો માટે કામ કર્યું છે, જ્યારે બીજી તરફ વિપક્ષ તરફથી ખોટા વચનો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ પર અમે અડગ છીએ, જો બાંગ્લાદેશથી હિન્દુ, શિખ, બૌદ્ધ શરણાર્થી છે તો અમે તેમને નાગરિકતા આપવાના હક્કમાં છે.
ધારા 370, 35એ પર પણ અમે અડગ છે અને તેને દૂર કરવા માંગીએ છીએ. બંને ચરણના મતદાનથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હતાશ છે, અને તેમને હાર દેખાઇ રહી છે. મમતા બેનરજી હવે ચૂંટણી આયોગ પર આરોપ લગાવી રહી છે કે અમારી રેલી નહીં થવા દેતાં.
કોલકાતામાં અમિત શાહે કહ્યું કે બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા થઇ રહી છે. આવા સમયે ગ્રામજનો એકસાથે મતદાન કરવા જાય અને કોઇનાથી ના ડરે. અમિત શાહે જણાવ્યું કે બંગાળમાં સતત તુષ્ટીકરણનું રાજકારણ ટીએમસી તરફી કરવામાં આવી રહ્યું છે. પોલીસ પણ અહીં રાજનેતાઓની જેમ કામ કરી રહી છે. ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે અહીં બંગાળમાં લોકતંત્ર જીવીત રાખવા અહીં ચૂંટણી ઘણી જરૂરી છે.