કોરોના વાયરસના કહેર વચ્ચે વાયફાઇ અને ઈન્ટરનેટ લેસ ટેક્નોલોજીનો યુગ. કોરોનાના કારણે હજારો દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે. તેવામાં હોસ્પિટલમાં ઈન્ટરનેટની સુવિધા ન મળતા લોકો પરેશાન થઈ જાય છે. પોતાના પરિવાર સાથે વાત નથી કરી શક્તા. તેવામાં લાઈ-ફાઈ કંપનીએ એવી એપ બનાવી છે જેના માધ્યમથી દર્દી વગર ઈન્ટરનેટે પોતાના પરિવાર અને ડૉક્ટર સાથે વાત કરી શકે છે.
વાયફાઈ નહીં હવે 'લાય-ફાઈ'નો આવશે યુગ
ઈન્ટરનેટ વીના પણ વીડિયોકોલ
ICUમાંથી દર્દીઓ કરી શકે છે વીડિયો કોલ
કોરોનાના કાળમાં આપણે જાણીએ છીએ કે, દેશમાં લાખો લોકો હોસ્પિટલોમાં જંગ લડી રહ્યા છે. તેવામાં સ્વાભાવિક છે કે, લોકોને તકલીફો પણ પડવાની. તો સાથે-સાથે ચિંતા પણ વધવાની. કારણ કે, હોસ્પિટલોના ICU વોર્ડમાં નેટવર્ક નથી આવતું. જેના કારણે દર્દીઓ તેના સગા સાથે વાતચીત નથી કરતા. પરંતુ આ માહોલમાં જો ICUની લાઈટ દર્દીઓ માટે ઈન્ટરનેટનું કામ કરે તો? વિશ્વાસ નહીં આવે પરંતુ આવી જ ટેક્નોલોજી છે લાઈ-ફાઈ ટેક્નોલોજી.
અમદાવાદમાં આવેલી નવ વાયરલેસ ટેક્નોલોજી દેશની એક માત્ર લાઈ-ફાઈ ટેક્નોલોજી કંપની છે. આ લાઈફાઈ ટેક્નોલોજીથી દર્દીઓ-ડૉક્ટરો-દર્દીના પરિવારજનો ઈન્ટરનેટ વગર વીડિયો કોલ કરી શકે છે. યોગ્ય અને જરૂરી ડેટા સીધો જ ડૉક્ટરને તેની ઓફિસમાં મળી શકશે. દર્દીઓ ગમે ત્યારે ડૉક્ટરોના સલાહ સૂચનો મેળવી શકે છે.
મહત્વનું છે કે, નવ વાયરલેસ ટેક્નોલોજી કંપની દ્વારા સુરતની સ્મિમેર અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાઈ-ફાઈની સુવિધા પુરી પણ પાડવામાં આવી છે. હાલ અમદાવાદની હોસ્પિટલોમાં આ સુવિધા પુરી પાડવા અંગે વિચારણા ચાલી રહી છે. સૌથી ખાસ વાત તો એ છે કે, અન્ય ટેક્નોલોજીની તુલનામાં આ ટેક્નોલોજી ખુબ સસ્તી પણ છે અને ઈન્ટરનેટ વગર ચાલે છે.
આ ટેક્નોલોજીના શું ફાયદા?
લાય-ફાઈ ટેક્નોલોજીમાં ડેટા લાઈટથી ટ્રાન્સફર થાય છે
દર્દીના સંપકા વીના ડોક્ટર સારી સારવાર કરી શકે છે
ટેક્નોલોજીથી ડોક્ટર સીધા જ દર્દીનો ડેટા મેળવી શકે છે
ઈન્ટરનેટ વીના દર્દીઓ પાતાના સગાને વીડિયોકોલ કરી શકે છેો
આઈસોલેશન વોર્ડ અને ICUમાં દાખલ દર્દીઓ પરિવાર જોડે વાત કરી શકે છે
ઈન્ટરનેટ વગર ડોક્ટર સાથે સીધા જ દર્દી વાત કરી શકે છે
આઈસોલેશન વોર્ડમાં ગયા વીના પણ ડોક્ટર દર્દીની સારવાર કરી શકે છે