જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા બાદ તમામ ઉમેદવારો ખુશ હતા. હાલ પરીક્ષા સાહિત્ય સુરક્ષિત પહોંચીને સ્કેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ
કોઈ પણ જગ્યાએ અનિચ્છનિય ઘટના બની નથી-હસમુખ પટેલ
"પરીક્ષા બાદ ઉમેદવારો ખુશ હતા,આભાર માન્યો છે"
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ અનિચ્છનિય ઘટના બની નથી. તેમજ પરીક્ષા બાદ તમામ ઉમેદવારો ખુશ હતા, તમામ ઉમેદવારોનો આભાર માન્યો છે. અમારા માટે હજુ પણ પરીક્ષા ચાલુ છે. પરીક્ષા સાહિત્ય સુરક્ષિત પહોંચીને ક્સેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે. ઉમેદવારોને ચોરીની તક ન મળે તે માટે પ્રશ્નપત્ર લાંબુ રખાયું હતું. પ્રશ્નપત્ર લાંબું રહે તો ચોરી થવાની શક્યતા ઓછી રહે છે. અંદેજા 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 75 હજારથી વધુ કર્મીઓ પરીક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા.
મે પોતે અમદાવાદ તેમજ ગાંધીનગરના 15 થી 20 કેન્દ્રોની મુલાકાત લીધીઃ હસમુખ પટેલ
આ બાબતે ગુજરાત પંચાયત મેં ગાંધીનગર તેમજ અમદાવાદનાં 15 થી 20 કેન્દ્રોની જાતે મુલાકાત લીધી છે. તે સિવાય દરેક જીલ્લાઓ સાથે મારી વાત ચાલુ હતી. અને ગ્રાઉન્ડ ઉપર એવી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિણામે આજે શાંતિમય માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. તેમજ કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ બન્યો નથી. ત્યારે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે મારે પણ કેન્દ્રો પર ઉમેદવારોને મળવાનું થયું. અને તેઓ ખુશ હતા અને આભાર માન્યો છે. હાલ સાહિત્યને સ્ટ્રોગ રૂમમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છેઃહસમુખ પટેલ
7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા હતા. ત્યારે કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તે અંગેની માહિતી અમારી પાસે નથી. હાલ પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે હાલ સાહિત્યને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે ઓએમઆર સીટ બાબતે તેમણે જણાવ્યું હતું કે ઓએમઆરમાં થોડો ઘણો ફેરફાર હશે તો આપણે ભવિષ્યમાં તેને સુધારવા માટે પ્રયત્ન પણ કરીશું.