બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Kishor
Last Updated: 05:41 PM, 25 November 2023
આપણા ધર્મમાં દિવાળીનું ખુબ જ મહત્વ છે. તેવી જ રીતે દેવ દિવાળીનું પણ એટલુ જ મહત્વ છે. હિન્દુ પંચાગ અનુસાર કારતર મહિનાની પૂર્ણીમાંના દિવસે દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવાળી બધા દેવતાઓની કૃપાને સાથે લઈને આ પર્વ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 15 દિવસ બાદ આ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર દેવ દિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ મનાવે છે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે કાશીમાં દેવ દિવાળી મનાવવાની વર્ષો જુની પરંપરા છે. જે આજે પણ નિભાવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.. પણ શું તમે જાણો છો કે આખરે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે. જો તમે નહીં જાણ હોય તો આજે અમે તને જણાવીશું કે દેવ દિવાળીના દિવસે કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ પૂજાનું મહત્વ શું છે.
જાણો કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના હાથોથી તારકાસુરનો વધ થયો હતો. માન્યતાઓ અનુસાર તારકાસુરના વધ બાદ તેના ત્રણેય દિકરા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દયુન્માલીએ તમામ દેવી-દેવતીઓ સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લિધી હતી. જે બાદ ત્રણેય દૈત્યોએ દિવ્ય અને માયાવી શક્તિઓથી એકબીજાને એક શરીરમાં સમાવી લીધા. એટલે એવુ કહી શકાઈ કે ત્રણેય દૈત્યોએ એક જ શરીમાં પોતાની આત્માઓને સમાવી લીધી. જે બાદ ત્રણેય દૈત્યોએ પોતાનું નામ ત્રિપુરાસુર રાખી લીધું હતુ.
ત્રિપુરાસુરનો વધ થશે
ત્રિપુરાસુરે બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કર્યુ. જેથી તેઓ પોતાના પિતાના મૃત્યુનો બદલો દેવો સાથે લઈ શકે. ત્રિપુરાસુરની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે જ્યારે અભિજિત નક્ષત્રમાં સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં ત્રણેય પુરિયાઓ એકસાથે જોવા મળશે.ત્યારે તે સમયે દેવતાઓથી બનેલા રથ અને ગ્રહોથી બનેલા બાણથી જ ત્રિપુરાસુરનો વધ થશે. નહીં તો તેનો ક્યારેય વધ થશે નહીં.
ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ
ભગવાન બ્રહ્માજી પાસેથી મળેલા આ વરદાન બાદ ત્રિપુરાસુરનો આતંક દિવસેને દિવસે વધવા લાગ્યો. જેના કારણે ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. આ ઘટના બાદ ભગવાન શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો. જે બાદ પૃથ્વી માતાએ રથનો આકાર લીધો, સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન તે રથના પૈડા બન્યા. જે બાદ આ રથના સારથી બન્યા સૃષ્ટી અને ભગવાન વિષ્ણુ બાણ બન્યા. વાસુકી નાગ ધનુષ્ય બન્યા અને મેરુ પર્વત ધનુષ્ય બન્યા હતા.આ બધા દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને ભગવાન શિવે પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. આ દિવસ હતો કારકત મહિનાની પૂર્ણિમાનો દિવસ. જેથી તમામ દેવી-દેવતાઓએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જેથી આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે..
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army