તારક મહેતા...માં નટુ કાકાનો રોલ ભજવતાં ઘનશ્યામ નાયક થોડા સમય પહેલાં જ મૃત્યું પામ્યા અને તે બાદથી જ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે નવા નટુ કાકા કોણ?
3 ઓક્ટોબરે નટુકાકાનું થયું હતું નિધન
શોમાં આવશે નવા નટુ કાકા?
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તસવીર
મેકર્સે શોધી લીધા નવા નટુ કાકા?
સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં એક સિનીયર એક્ટર ખુરશી પર બેઠા છે. આ તસવીરને લોકો ખુબ શૅર કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે શોમાં હવે આ નટુ કાકાનું પાત્ર ભજવશે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ તસવીરમાં એવું પણ લખ્યું છે કે તમને શું લાગે છે?
લીજેન્ડને કોઇ રિપ્લેસ ન કરી શકે
વાયરલ ફોટોમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ફેન્સ કહી રહ્યાં છે કે ઘનશ્યામ નાયકની જગ્યા કોઇ ન લઇ શકે. આ એક્ટર ખરેખર નટુ કાકા છે કે નહી તેના પરથી મેકર્સે ઓફિશ્યલી કોઇ પરદો નથી ઉઠાવ્યો પરંતુ કેટલાક લોકો કહી રહ્યાં છે કે લીજેન્ડને કોઇ રિપ્લેસ ન કરી શકે. ઘનશ્યામ નાયકે હાઇ લેવલ સેટ કર્યું છે તે લેવલ સુધી પહોંચવા માટે કોઇ પણ એક્ટરે ખુબ મહેનત કરવી પડશે.
3 ઓક્ટોબરે થયું મૃત્યું
ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેન્સર હતું અને લાંબા સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ ટ્વિટર પરથી એક્ટરના મૃત્યુની જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘનશ્યામ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ટ્રોલિંગ પર આપ્યો હતો જવાબ
સોશ્યલ મિડીયા પર લોકો નટુ કાકા કમજોર દેખાઇ રહ્યાં હોવાથી તેમને ટ્રોલ કરી રહ્યાં હતા. લોકો કહી રહ્યાં હતા કે તે તેમની બિમારી છુપાવી રહ્યાં છે. ટ્રોલર્સને તેમણે સણસણતો જવાબ આપતા કહ્યું કે, કેટલાક લોકો સિનિયર એક્ટર્સ પ્રત્યે અસંવેદનશીલ હોય છે. હું લોકોને નિવેદન કરુ છુ કે તે નકારાત્મકતા ન ફેલાવે. જો હું આ રોલ માટે રાઇટ ચોઇસ ન હોત તો પ્રોડ્યુસર્સ મને આ રોલ માટે પસંદ જ ન કરતા, મે કોઇ જગ્યાએ વાંચ્યુ કે લોકો મારા ડ્રેસિંગ સેન્સ પર કમેન્ટ કરે છે. જેમની પાસે કામ નથી હોતુ તે જ આવી વાતો કરે છે. મને આ વાતોથી કોઇ ફર્ક નથી પડતો કારણકે હું ખુશ છું કે આ ઉંમરમાં પણ હું કામ કરુ છુ. જ્યાં સુધી મારુ શરીર કામ કરશે ત્યાં સુધી હું સેટ પર જઇશ.