ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડ-19 વેક્સિનના નકલી ડોઝ મળી આવ્યા છે. જેથી WHOએ લોકોને એલર્ટ કર્યા છે.
WHOએ આપી ચેતવણી
કોવિશીલ્ડના મળી આવ્યા ફેક ડોઝ
વેક્સિન લીધી હોય તો ખાસ વાંચજો
પારદર્શી ખરીદ અને અપૂર્તિ પ્રણાલીઓ તેમજ પ્રશાસન દ્વારા પ્રોદ્યોગિકી સમર્થિત કોવિન પ્લેટફોર્મના માધ્યમથી વાસ્તવિક કોરોનાવાયરસ વેક્સિન પ્રદાન કરવાના કેન્દ્રના પ્રયાસો છતાં પણ WHOએ આ ચેતવણી આપી છે.
WHOએ મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રીકામાં નકલી કોવિશીલ્ડ મળતા એલર્ટ કરી દીધા છે. વૈશ્વિક સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, જુલાઇ અને ઓગસ્ટમાં નકલી ઉત્પાદનોની સૂચના આપવામાં આવી હતી. WHOના કહ્યાં અનુસાર, કોવિશિલ્ડના ભારતીય નિર્માતા SIIએ પુષ્ટી કરી હતી કે કોવિડ પેશન્ટના રિપોર્ટ બાદ કેટલાક ડોઝ આપવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય એજન્સીએ ભારતના દવાખાના, ક્લિનીક, સ્વાસ્થ્ય કેન્દ્ર, ડીલર્સ, ફાર્મસીઓને પણ સતર્કતા વધારવાનો આગ્રહ કર્યો છે. WHOએ નકલી રસીઓથી પ્રભાવિત થનારા દેશો અને ક્ષેત્રોને પણ સતર્ક રહેવા આદેશ આપ્યો છે.
ભારતમાં કોવિશીલ્ડ 2mlની ઓળખાણ કરવામાં આવી હતી, જો કે SII 2mlમાં વેક્સિનનું ઉત્પાદન કરતું નથી. યુગાન્ડામાં કોવિશીલ્ડ બેચ 4121040 અને એક્સપાયરી ડેટ 10.08.2021 સાથે મળી આવી હતી. જેની પુષ્ટી SIIએ કરી હતી.
WHOએ કહ્યું કે, વાસ્તવિક કોવિશીલ્ડ વેક્સિન SARS-CoV-2 વાયરસના કારણે થનારા કોરોના વાયરસ રોગને રોકવા માટે 18 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના વ્યક્તિઓને સક્રીય રસીકરણ માટે સંકેત આપવામાં આવ્યા છે. વાસ્તવિક કોરોના વાયરસની રસીનો ઉપયોગ રાષ્ટ્રીય નિયામક અધિકારીઓના આધિકારીક માર્ગદર્શન અનુસાર હોવું જોઇએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે આ મદ્દે તપાસ કરી રહ્યાં છે, જો કે અમારી પાસે આ પ્રકારના કેસ રોકવાની એક મજબૂત પ્રણાલી છે. અમે માત્ર તે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે કોઇ પણ ભારતીયને નકલી રસી ન મળે. રસીકરણ પ્રમાણપત્ર અમે આપીએ છીએ તેમાં પ્રશાસિત રસી વિશે ઉચીત વિવરણ હોય છે. જેમ કે બેચ સંખ્યા, નિર્માણ વિવરણ અને પ્રતિકૂળ પ્રતિક્રિયા જેવી વસ્તુઓ લખેલી હોય છે. સાથે જ સપ્લાય ચેન પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. ભારત તરફથી અમને કોઇ ફરિયાદ મળી નથી. અમે આ મુદ્દે તપાસ કરી રહ્યાં છીએ.