મુંબઈમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે મુંબઈમાં 26/11ના હુમલામાં પાકિસ્તાની કનેક્શન વિશેનો ખુલાસો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સમુદાય સામે 26/11ના હુમલામાં પાકિસ્તાની કનેક્શન વિશેનો ખુલાસો
સાજીદ મીર ફોન પર આતંકવાદીઓને સૂચના આપી રહ્યો હતો એ ઓડિયો ક્લિપ સંભળાવી
જ્યાં થયો હતો 26/11નો હુમલો થયો, ત્યાં જ થઈ રહી છે મિટિંગ
દેશ-વિદેશના પ્રતિનિધિઓ સામે ભારતે એ ઓડિયો ક્લિપ સંભળાવી હતી જેમાં પાકિસ્તાની આતંકી અને 26/11નો કાવતરાખોર સાજીદ મીર ફોન પર આતંકવાદીઓને સૂચના આપતા કહી રહ્યો હતો કે જ્યાં પણ થોડી હલચલ જોવા મળે ત્યાં ફાયરિંગ કરો. સાજીદ મીર આ નિર્દેશો ચાબડ હાઉસમાં હાજર આતંકવાદીઓને ફોન પર આપી રહ્યો હતો. જણાવી દઈએ કે ભારતે વિદેશ મંત્રી એસ જયશંકરની હાજરીમાં આ ઓડિયો ક્લિપ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંભળાવીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.
આ ઓડિયોમાં આતંકવાદી સાજીદ મુંબઈના ચાબડ હાઉસ એટલે કે મુંબઈના નરીમન હાઉસમાં હાજર આતંકવાદીઓને કહેતો સંભળાય છે કે, ' જ્યાં પણ થોડી હલચલદેખાય, કોઈ છત પર ચાલતું દેખાય, કોઈ આવતું કે જતું દેખાય તેના પર ગોળીબાર કરો. તેને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે." સાજિદ મીરને જવાબ આપતા ત્યાં હાજર બીજો આતંકવાદી તેને ફોન પર આવું જ કરવાની ખાતરી આપે છે.
સાજીદ મીરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો
આ બેઠકમાં ભારતે કહ્યું હતું કે આતંકવાદી સાજિદ મીર બીજી પણ ઘણી વધુ આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે અને આ આતંકવાદી LeTના ડેનમાર્ક પ્રોજેક્ટનો માસ્ટર માઈન્ડ હતો અને તેને જ કોપનહેગનમાં એક અખબારના સંપાદકને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી પણ એ પ્લાન પર્દાફાશ થઈ ગયો હતો. અને એ બધા પછી સાજીદ મીરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દુનિયાની સામે દેખાડા માટે તેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો. આ બધા પછી ખબર પડી કે સાજિદ મીર જીવતો છે અને એ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણના કારણે પાકિસ્તાને તેની ધરપકડ કરીને સજા સંભળાવી હતી.
ભારત અનુસાર સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયા હજુ અટવાયેલી છે.
Significant: India details Pakistan's support to 26/11 at UN counter terror committee meet in Mumbai's Taj hotel; Names Hafiz Saeed, Sajid Mir, Major Iqbal of ISI, also plays audio clip of Sajid Mir directing 26/11 attack. https://t.co/4OMDZmN82Gpic.twitter.com/c8EyzYOI7y
જ્યાં થયો હતો 26/11નો હુમલો થયો, ત્યાં જ થઈ રહી છે મિટિંગ
જણાવી દઈએ કે UNSCની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની આ બેઠક મુંબઈની એ જ તાજ પેલેસ હોટલમાં થઈ રહી છે જેને 26/11ના હુમલામાં આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું. આ મોકા પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે 26/11નો હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય પર હતો. આ હુમલાના ગુનેગારોને સજા અપાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ પણ તે હજુ પણ પડકાર પૂરો થયો નથી.
26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં અનેક જગ્યાઓ અને ઈમારતો પર હુમલો કર્યો હતો અને આ આતંકવાદી હુમલાને અટકાવવા માટે ભારતને ચાર દિવસ લાગ્યા હતા. જણાવી દઈએ કે આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને તેની સામે અજમલ કસાબ સિવાય તમામ 9 આતંકીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ મુંબઈને બે ફાઈવ સ્ટાર હોટલ, રેલવે સ્ટેશન અને ચાબાડ હાઉસ એટલે કે નરીમાન હાઉસને નિશાન બનાવ્યા હતા.