કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખ્યાતનામ ઉદ્યોગપતિ રહી ચુકેલા ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
નીતિન ગડકરીએ ધીરુભાઈ સાથેનો કિસ્સો શેર કર્યો
ધીરુભાઈએ સ્વિકાર્યું હતું કે તેઓ હારી ગયા
ગડકરીએ ઓછા ખર્ચે આ કામ કરી બતાવ્યું હતું
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખ્યાતનામ ઉદ્યોગપતિ રહી ચુકેલા ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. ગડકરીએ મંગળવારે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ધીરુભાઈ અંબાણીનું એક ટેન્ડર રદ કરી દીધું હતું. તો તેઓ બહું નારાજ થઈ ગયા હતા. ગડકરીના જણાવ્યા અનુસાર, તે સમયે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે, સરકારની શું ઔકાત છે ?
નીતિન ગડકરીએ રસપ્રદ કિસ્સો શેર કર્યો
આ ઘટના તે સમયની છે, જ્યારે વર્ષ 19995માં નીતિન ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી હતા. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, તેમણે મુંબઈ-પુણે હાઈવે માટે ધીરુભાઈ અંબાણીનું ટેન્ડર રદ કરી દીધું હતું. ગડકરીએ કહ્યું કે, ત્યાર બાદ ધીરુભાઈ એક દમ ગુસ્સે થઈને મને બોલ્યા હતા કે, સરકારની શું ઔકાત હોય છે ? આપ શું રોડ બનાવશો ? બાદમાં જ્યારે તેમણે રોડનું કામ જોયું તો, બહું ખુશ થઈ ગયા અને મને કહ્યું કે, આપ જીતી ગયા અને હું હાર્યો.
ગડકરીએ આ કામ કરી બતાવ્યું
નીતિન ગડકરી આ ઈવેન્ટમાં રોડ નિર્માણ અને PWD વિશે વાત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે પૈસાની તંગી હતી, જેના કારણે ધીરુભાઈનું કહેવુ હતું કે, સરકાર માટે રોડ બનાવવો અશક્ય છે કેમ કે આ બહું મોટુ કામ હતું. હકીકતમાં ધીરૂભાઈ અંબાણીએ ટેન્ડરની બોલી 3600 કરોડ રૂપિયા લગાવી હતી અને નીતિન ગડકરી ઈચ્છતા હતા કે, 2000 કરોડમાં ટેન્ડર થાય. નીતિન ગડકરીએ કહ્યું કે, બાદમાં તેમની સરકાર આ પ્રોજેક્ટ ફક્ત 1600 કરોડ રૂપિયામાં પુરો કર્યો અને સરકારના રૂપિયા બચાવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, નીતિન ગડકરી રોડ પરિવહન મંત્રી છે અને રોડ નિર્માણ અને નવા પ્રયોગો માટે ખૂબ જાણીતા છે. મોટા ભાગે મજેદાર કિસ્સા સંભળાવતા હોય છે અને સોશિયલ મીડિયા ચેનલ પર પણ સારા સારા વીડિયો શેર કરતા રહે છે.