WhatsAppએ ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેમાં આજથી લાગુ થતા આઈટી નિયમોને રોકવાની માંગ કરવામાં આવી છે.
WhatsAppએ ભારત સરકાર વિરૂદ્ધ દાખલ કર્યો કેસ
આજથી લાગુ થતા નવા આઈટી નિયમો રોકવાની માંગ
મેસેન્જર એપે જણાવ્યું કે નવા નિયમોથી યૂઝર્સની પ્રાઈવસી પ્રભાવિત થઈ શકે છે
WhatsAppએ ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. જેમાં આજથી લાગુ થતા નવા આઈટી નિયમો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. વોટ્સએપે ભારત સરકાર પર આ કેસ મંગળવાર 25મેએ ફાઈલ કર્યો છે. મેસેન્જર એપના કહેવા પ્રમાણે નવા નિયમો યુઝર્સની પ્રાઈવસી પર અસર કરી શકે છે.
કમ્પ્લાયન્સ અધિકારી નિયુક્ત કરવાના આદેશ
હકીકતે કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021એ ભારતના ઈલેક્ટ્રેનિક્સ અને આઈટી મંત્રાલયની તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે 3 મહિનાની અંદર કમ્પ્લાયન્સ અધિકારી, નોડલ અધિકારીને નિયુક્ત કરવાના આદેશ આપ્યા હતા. આ દરેકનું કાર્યક્ષેત્ર ભારતમાં હોવું જરૂરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ હેઠળ કંપનીને કમ્પ્લાયન્સ અધિકારીને નિયુક્ત કરવાનું રહેશે અને તમનું નામ અને કોન્ટેક્ટ એડ્રેસ ભારતનું હોવું જરૂરી છે.
ચેટને ટ્રેસ કરવા બાબતે કહી આ વાત
દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી એપના પ્રવક્તાએ કહ્યું કે, 'મેસેન્જીંગ એપના ચેટને ટ્રેસ કરવા માટે કહેવું વોટ્સએપ પર મોકવામાં આવેસા દરેક મેસેજનું ફિંગરપ્રિન્ટ રાખવા સમાન છે. જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડી દેશે અને લોકોની પ્રાઈવસીના રાઈટ્સને ખતમ કરી દેશે.' વોટ્સએપ સતત સિવિસ સોસાયટી અને દુનિયાભરના નિષ્ણાંતોની સાથે એ વસ્તુઓનો વિરોધ કરે છે જે તેના યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરે છે. પ્રવક્તાએ કહ્યું કે, 'આ વચ્ચે અમે લોકોને સેફ રાખવાના ઉદ્દેશથી વ્યાવહારિક સમાધાનો પર ભારત સરકારની સાથે એન્ગેજ રહીશું. જેમાં વેલિડ લીગલ રિક્વેસ્ટનો જવાબ પણ આપીશું.'