હવે નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન આવ્યા બાદ તે અસર કરશે અને ફરી પોતાના ખાતામાં તમારા પીએફમાં વધારો થયેલ વ્યાજ મળી શકે છે
ઇપીએફઓના નિર્ણયથી લગભગ 7 કરોડ કર્મચારીઓને ફાયદો થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીએ જે નિર્ણય લીધો
વધારો થયેલ વ્યાજ ઇપીએફઓના દરેક 7 કરોડ મેમ્બર્સને મળી શકશે
તાજેતરમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ કર્મચારીઓને મળનારા પ્રોવિડેન્ટ ફંજ પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. ઇપીએફઓના નિર્ણયથી લગભગ 7 કરોડ કર્મચારીઓને ફાયદો થશે, પરંતુ શું તમને ખબર છે કે સરકારના આ નિર્ણયનો ફાયદો કોને અને કેવી રીતે મળશે, તો આવો તેના વિશે જાણીએ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીએ જે નિર્ણય લીધો છે, તેને હવે નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન આવ્યા બાદ તે અસર કરશે અને ફરી પોતાના ખાતામાં તમારા પીએફમાં વધારો થયેલ વ્યાજ મળી શકે છે. આ તો વાત થઇ કે રકમ ક્યારે મળી શકશે. હવે વાત કરીએ તેના ફાયદા કયા કર્મચારીઓને મળી શકશે.
આ કર્મચારીઓને મળશે વ્યાજનો ફાયદો
વધારો થયેલ વ્યાજ ઇપીએફઓના દરેક 7 કરોડ મેમ્બર્સને મળી શકશે.
આ નિર્ણયનો ફાયદો વોલેન્ટરી પ્રોવિડેન્ટ ફંડ એટલે VPF ડિપોઝિટર્સને મળી શકશે.
આ ઉપરાંત સરકારના આ નિર્ણયનો ફાયદો એવા કર્મચારીઓને પણ મળશે જેનાથી ઇપીએફ ખાતા ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઇપીએફએ વ્યાજ દરોમાં 8.10 ટકા પર રાખ્યો જેને હવે વધારીને 8.15 ટકા કરી દીધો છે. એટલે કે તમને 8100 રુપિયા વ્યાજના બદલે 8150 રુપિયા મળી શકશે.
EPFથી આ રીતે તૈયાર થાય છે 5 કરોડનું રિટાયરમેન્ટ ફંડ
જો તમારો મહિનાનો પગાર 50,000 રુપિયા છે અને તમારી ઉંમર 30 વર્ષ છે. EPF તરફથી તમને 12 ટકા કંટ્રીવ્યુશન મળે છે. આ ઉપરાંત જો દર વર્ષૈ તમારો પગાર 10 ટકા વધે છે તો તમારી આ રકમ ઇપીએફ તરફથી 8.10 ટકા વ્યાજ મળે છે. (જે અત્યારે પણ છે) તો તે રીતે તમે રિટાયરમેન્ટના સમયે 5,04,07,319 રુપિયાનું ફંડ મળી શકશે. આ કેલક્યુલેશનના હિસાબે તમે 50 હજારનુ મંથલી સેલરીમાં 5 કરોડનું ફંડ તૈયાર કરી શકો છો.