ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનાં બ્યૂગલ વાગી ગયા છે અને એકબીજાના કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન એકબીજા સામે રમવા તૈયાર છે. ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં કદી નથી હાર્યું.
દુબઈમાં T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ભારતના ધુરંધરો પણ પોતાનું બધુ જોર લગાવીને તૈયાર થઈ ગયા છે. પ્રેક્ટિસ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય થયો હતો.
ચાહકો ભારત અને પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસી જેવા કેટલાક લોકો એમ પન કહી રહ્યા છે કે એક તરફ આપણા દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે અને બીજી તરફ ક્રિકેટ રમવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એક તરફ જમ્મુ અને કાશ્મીરમાં 9 જવાન શહીદ થઈ રહ્યા છે. બીજી તરફ મોદી સરકાર 24 ઓક્ટોબરે ક્રિકેટ મેચ રમાડી રહી છે. પીએમ મોદીના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે શું મોદીજીએ નહોંતું કહ્યું કે ફૌજ મરી રહી છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે 9 સૈનિકો મર્યા અને તે ટી 20 રમશો? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી 20 રમી રહ્યું છે.
ભારતનું જ નુકસાન
એક રીતે જુઓ તો જો આ મેચ નહીં રમાય તો ભારતનું જ નુકસાન થશે. ચાલો અમે તમને જણાવીએ કે શા માટે
1) પાકિસ્તાન આગળ નીકળી જાય
જો ભારત રમવાની નાં પાડી દે તો પાકિસ્તાન ને બે પોઈન્ટ મળી જશે. આ સાથે ભારતને તો કોઈ પોઈન્ટ નહીં જ એમએલ એ અને સુપર 12 રાઉન્ડ બાદ બંને ગ્રુપ્સની બે ટીમો સેમી ફાયનલમાં પહોંચશે. માટે ભારતની સફર મુશ્કેલ થઈ જશે.
2) ICC પ્રતિબંધ લગાવે તેવી સંભાવના
જો ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ મેચ ન્ રમે તો તેનાં પર ICC પ્રતિબંધ લગાવે તેવી સંભાવના પણ ખરી. અને ભારત પર દંડ થાય તેવી પણ શક્યતા નકારી ન્ શકાય.
3) ટુર્નામેંટમાં નુકસાન
આ મેચના પ્રમોશનથી માત્ર બોર્ડને કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે. ખાસ તો એટલા માટે કે આ વખતે બીસીસીઆઈ પોતે જ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે ત્યારે ભારત ન્ રમવાથી ટુર્નામેન્ટની પોપ્યુલરીટી પર અસર પડી શકે છે અને બોર્ડને નુકસાન થઈ શકે છે.
4) ધારો કે પ્રથમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ ફરી ફાયનલ કે સેમી ફાયનલમાં જો ભારત-પાકિસ્તાન સામસામે આવી જાય તો બીસીસીઆઈ શું કરશે? તો ફરી મેચ રમશે કે જવા દેશે એ પ્રશ્ન ઊભો જ રહે.
સૌથિ મોટો તમાચો તો રમીને હરાવવું એ જ પાકિસ્તાનના ગાલ પર સૌથી મોટો તમાચો હશે. ભારત વર્લ્ડ કપમાં કદી પાકિસ્તાન સામે હાર્યું નથી. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચો વર્લ્ડ કપમાં રમાઈ ચૂકી છે અને પાંચેય મેચોમાં ભારત જીત્યું હતું.