અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 77 વર્ષીય ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનની જીત થઈ છે. તેમને ભારતના હિતેચ્છું મનાઈ રહ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પસંદગી પામ્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોત તરફ પ્રગાઢ થવાની સંભાવના છે. કેમ કે બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ રહેવાના દરમિયાન તેઓએ ઉપ રાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાલને યાદ કરતા ભારત સાથેના સંબંધોને વધારે ગાઢ અને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા તો ભારત- અમેરિકાની વચ્ચે સંબંધની તેમની પ્રાથમિક્તા રહેશે.
ભારત અને અમેરિકા પ્રાકૃતિક ભાગીદાર છે
2020માં ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા દુનિયાના સૌથી નજીકના દેશો હશે
ભારત- અમેરિકાની વચ્ચે સંબંધની તેમની પ્રાથમિક્તા રહેશે
બાઈડેને ભારત- અમેરિકાના પરમાણુ સમજૂતીને પસાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે બરાક ઓબામા આ મામલામાં સંકોચ કરી રહ્યા હતા. ત્યારે બાઈડેને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બન્ને પાર્ટીઓના સાંસદો સાથએ વાત કરી આ સમજૂતી માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉપરાષ્ટ્રપતિ બનવાના પહેલા 2006માં તેમણે અમેરિકા ભારતના સંબંધ પર પોતાના દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે મારુ સપનું છે કે 2020માં ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા દુનિયાના સૌથી નજીકના દેશો હશે.
ડેલાવેયર રાજ્યમાં લગભગ 3 દશકો સુધી સેનેટર રહેલા બાઈડેને હંમેશા ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની તરફેણ કરતા રહ્યા છે. એક અભિયાન દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા પ્રાકૃતિક ભાગીદાર છે.
આ વર્ષે જુલાઈમાં તેમણે કહ્યું હતું કે જો તે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે તો તે ભારતીય આઈટી ફિલ્ડના લોકો વચ્ચે સૌથી વધારે લોકપ્રિય એચ-1 વિઝા પર લાગેલા અસ્થાયી પ્રતિબંધને ખતમ કરી દેશે. અમેરિકામાં સત્તા પરિવર્તનની સાથએ તે નોકરી અથવા સ્થાયી નાગરિકતાનું સપનું જોઈ રહ્યા છે. જો બાઈડેનની એચ1 વિઝા અને ગ્રીન કાર્ડની યોજના હજારો ભારતીયોને ફાયદો કરાવશે.
આતંકવાદની વિરુદ્ધ લડવા માટે બરાક ઓબામા અને બાઈડેને પોતાના પૂર્વ કાર્યકાલમાં ભારતની સાથે સહયોગાત્મક વલણ રાખ્યું હતુ. રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમિયાન બાઈડેને વિજન ડોક્યૂમેન્ટમાં આનો ઉલ્લેખ કરતા કહ્યું કે બાઈડેનનું માનવું છે કે દક્ષિણ એશિયામાં આતંકવાદ માટે કોઈ સહિષ્ણુંતા ન હોઈ શકે.