મહારાષ્ટ્રની સાથે દેશમાં ફરી એક વાર કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.
મહારાષ્ટ્રમાં ફરી એક વાર કોરોના કેસો વધવા લાગ્યા
CM ઉદ્ઘવ ઠાકરે ચેતવણી આપી કે, જો કેસો વધશે તો પ્રતિંબધ કડક કરાશે
લોકોએ ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ-CM ઉદ્ઘવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે આપી સ્પષ્ટ ચેતવણી
કોરોના વાયરસના વધતાં જતાં મામલાઓ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ ચેતવણી આપી હતી કે, જો કેસોમાં વધારો થતો રહેશે અને લોકો ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો રાજ્યમાં સખત પ્રતિબંધ લગાવવાશે.
લોકોએ ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ-CM ઉદ્ઘવ ઠાકરે
કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠકમાં મહારાષ્ટ્રમાંની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોએ ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ દરકે રસીકરણ કરાવવું જોઈએ અને ગાઈડ લાઈન્સનું પણ પાલન કરવું જોઈએ. જો લોકો ફરીથી લોકડાઉન જેવી સ્થિતીનો સામનો ના કરવો હોય તો આ અનિવાર્ય છે. આ પહેલા પણ એક દિવસમાં કોરોનાના નવા 3,712 નવા કેસો સામે આવ્યાં હતાં. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસોમાં વધારો થઈને આંક 19,509 પર પહોંચવા પામ્ય છે.
#COVID19 | India reports 4,041 fresh cases, 2,363 recoveries, and 10 deaths in the last 24 hours.
દેશમાં કુલ સંક્રમણ 0.05 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.74 ટકા છે
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ સંક્રમણ 0.05 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. દૈનિક સંક્રમણ દર 0.84 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.67 ટકા છે. મૃત્યુદર 1.22 ટકા નોંધાયો છે. દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 193.70 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.