NCP ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્વ અને યુપી સરકારને ચેતવણી આપી હતી કે, તેઓને લખીમપુર ઘટનાની ભારે કિંમત ચૂકવવી પડશે અને દાવો કર્યો હતો કે સમગ્ર વિપક્ષ ખેડૂતોની સાથે છે
NCPના પ્રમુખ શરદ પવારે મંગળવારે યુપી સરકારની ટીકા કરી
ઘટનાની જવાબદારી કેન્દ્વ અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની છે
લોકશાહીમાં મૂળભૂત અધિકારીઓની હત્યા કરવી, તે લાંબા સમય સુધી ચાલતું નથી
आज नई दिल्ली में मीडिया से बातचीत के दौरान लखीमपुर खीरी में किसानों के खिलाफ हुई हिंसा की कड़ी आलोचना की। इस मामले पर न तो केंद्र और न ही उत्तर प्रदेश सरकार ने अभी तक कोई प्रतिक्रिया व्यक्त की है। केंद्र सरकार और उत्तर प्रदेश सरकार ने इस दुर्घटना के बारे में संवेदनहीनता दिखाई है। pic.twitter.com/qjwHd0i4Wf
ઘટનાની જવાબદારી કેન્દ્વ અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની છે
આ હિંસાને ખેડૂતો પર હુમલો ગણાવતાં પવારે કહ્યું કે, જવાબદારી કેન્દ્વ અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારો પર છે. અને લોકો ભાજપને તેના યોગ્ય સ્થાને લઈ જશે. રવિવારની ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્વ સરકાર હોય કે ઉત્તર પ્રદેશ સરકાર તે બિલકુલ સંવેદનશીલ નથી. જલિયાંવાલા બાગમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. તે જ સ્થતિ આજે અમે ઉત્તર પ્રદેશમાં જોઈ રહ્યાં છીએ, જો આજે નહીં તો કાલે તેઓએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે
લખીમપુરી ખીરી ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં
મહત્વનું છે કે, રવિવારે થયેલી હિંસામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. આ ઘટનામાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતાં પવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે, વિપક્ષ તેમની સાથે ઉભો છે. અને ટૂંક સમયમાં ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. તેમણે સુપ્રીમ કોર્ટના સિટીંગ જજ દ્વારા તપાસની માંગ પણ કરી હતી. હું તેમને કહેવા માંગું છું કે, તેઓ ખેડૂતોનો અવાજ દબાવી શકશે નહીં. આખા દેશના ખેડૂતો એક થયા છે. અને તેઓ સરકારમાં બેઠેલા લોકો દ્વારા સત્તાના આ દુરુપયોગ સામે લડશે .
लखीमपुर खीरी में जमा हुए किसान भी अपनी मांगों को लेकर शांतिपूर्वक आंदोलन कर रहे थे। हालांकि, वे एक वाहन की चपेट में आ गए, जिसमें कुछ लोगों की मौत हो गई। मैं इस घटना की कड़ी निंदा करता हूं।#LakhimpurKheriViolence
લોકશાહીમાં મૂળભૂત અધિકારીઓની હત્યા કરવી, તે લાંબા સમય સુધી ચાલતું નથી
તેમણે સાંસદો, મુખ્યમંત્રીઓ સહિતના વિપક્ષી નેતાઓને લખીમપુર જવાથી રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે,તે લોકશાહીમાં તેમના મૂળભૂત અધિકારીઓની હત્યા કરવા જેવું છે. તે એક કે બે દિવસ માટે કરી શકાય છે. પરંતુ તે લાંબા સમય સુધી ચાલી શકાતું નથી, પવારે કહ્યું લોકો તેને તેનું યોગ્ય સ્થાન બતાવશે
શિવસેના નેતા સંજય રાઉતે પણ આ મામલે કાર્યવાહી કરવા કહ્યું હતું.
શિવસેના નેતા સંજય રાઉતે મંગળવારે પણ આ જુલમ સામે રાજકીય પક્ષોની સંયુક્ત કાર્યવાહી હાંકલ કરી હતી. રાઉતે કહ્યું હતું કે, લખીમપુ ખીરી હિંસાએ રાષ્ટ્રની આત્માને હચમચાવી દીધી છે, ઉત્તર પ્રદેશ સરકારે પ્રિયંકા ગાધીની ધરપકડ કરી છે, વિપક્ષી નેતાઓને ખેડૂતોને મળવાની મંજૂરી નથી." ઉત્તર પ્રદેશમાં સરકારના દમન સામે સંયુક્ત વિપક્ષી કાર્યવાહીની જરૂર છે.