રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે માળિયા તાલુકા નવલખીબદરમાં વસતા ગ્રામપંચાયતની માગ કરી રહ્યા છે. જો કે આ બદર પર વસતા લોકો સ્થળાંતર બાદ આજદિન સુધી ગ્રામપંચાયતનો હક મળ્યો નથી. ત્યારે શું છે, સમગ્ર મામલો જોઇએ આ ખાસ રીપોર્ટમાં
20 વર્ષોથી ન્યાયની માગ કરે છે લોકો
શું સરકારના આ 100 પરિવાર નથી દેખાતા?
શું નેતાઓને મતદાન સમયે જ આ લોકોની યાદ આવે છે?
રાજ્યને ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો મળ્યો છે. આ દરિયા કિનારે અનેક નાગરિકો પોર્ટ પર,માછીમારી કે મીઠુંના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં વસતાલોકો નવલખી બદર ખાતે વસવાટ કરતા હતા. આ નાગરિકો ૨૦૦૧ના ભૂકપ અને વાવાઝોડાના કારણે બદર પર વસતા લોકોનું રહેણાંક છીનવાઈ ગયું. જેથી આ પરિવારજનો માટે શ્રીમદ્ર રાજચન્દ્ર રાહત નિધિમાંથી મોરબી તાલુકા બોડકી ગામની સીમમાં પુર્નરવસન માટે વ્યવસ્થા કરીને ૧૦૦ જેટલા પરિવારને પુન વસવાટ માટે વ્યવથા કરી આપવામાં આવી આજે તમામ ૫રિવારજનો બોડકી ગામના ક્ષેત્રમાં વસવાટ કરે છે.
ગામોની જૂથ પંચાયતમાં સમાવેશની માગણી
જો કે અહી વસતા પરિવારજનો લોકસભા,સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભમાં મતદાન કરે છે. પરતું ગ્રામસભામાં મતાધિકાર મળ્યો નથી. આ જે આ તમામ પરિવાર અલગ ગ્રામ પંચાયત કે અન્ય ગામોની જૂથ પંચાયતમાં સમાવેશની માગણી કરી રહ્યું છે.
ગ્રામપંચાયત તરફથી કોઈ પણ હક મળતો નથી
જો કે નવલખી બદરના વિસ્થાપિતો પાસે ચુંટણી કાર્ડ છે. આ કાર્ડમાં ન્યુ નવલખી (ટાટા નગર) ગામ બોડકી લખ્યું છે. પરતું આ ગામના લોકો મરણ કે જન્મના પ્રમાણપત્ર મેળવું હોય કે તો તાલુકા કક્ષાએ જવું પડે છે.. ગ્રામપંચાયત તરફથી કોઈ પણ હક મળતો નથી. તેમજ ગ્રામજનોને લાઈટ સુવિધા ,માટે પણ વલખા મારવા પડે છે. એટલે આજે વસાહતમાં વસતા લોકો ગ્રામપંચાયતની માંગણી કરી રહ્યા છે. જો કે કામકાજ માટે સામજિક સસ્થાની મદદ દ્વારા કામકાજ થઈ રહ્યા છે.
ચુંટણીનો બહિસ્કાર ચીમકી
જો કે નવલખી બદરમાં વસતા લોકો આજે ગ્રામપંચાયત કે જૂથ પંચાયત માટેનો હક માટે છેલ્લા ૨૦ વર્ષથી લડત કરી રહ્યા છે. જે માટે ગ્રામજનો સમાજિક સ્સ્થાના માર્ગદર્શનને કારણે બદરમાં વસતા લોકો કલેકટર,રાજ્ય ચુંટણીપંચને પણ રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે વસાહતના વસતા લોકો ગ્રામપંચાયત કે જૂથ પંચાયતમાં સમાવેશની માગ સાથે આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો બહિસ્કાર ચીમકી ઉચ્ચારી રહ્યા છે.