ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા દાવમાં પણ ભારતીય ટીમની હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. જોકે, આ અંગે કોહલીનું નિવેદન સામે આવ્યું છે, કોહલી કહે છે કે, લોકો આ હારને બહુ જ મોટું સ્વરૂપ આપી રહ્યાં છે, પરંતુ હું એવું નથી વિચારતો. ન્યૂઝીલેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં 10 વિકેટે હરાવી દીધી અને તેની સાથે જ 2 મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર ઉઠ્યા સવાલ
ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભડક્યો કોહલી
કહ્યું-લોકો આ હારને મોટું સ્વરૂપ આપી રહ્યાં છે
મેચ બાદ કોહલીએ કહ્યું કે, 'અમે આ મેચમાં વિરોધી ટીમને ટક્કર આપી શક્યા નહીં. જોકે, ભૂતકાળમાં અમે બતાવ્યું છે કે ભલે અમે હાર્યા છીએ પણ પછી સારું પ્રદર્શન કરીને હંમેશા મેચમાં આગળ રહ્યાં છીએ. તેણે કહ્યું, મને લાગે છે કે, પ્રથમ ઇનિંગ્સમાં અમારી ટીમે ઘણું નિરાશાજનક પ્રદર્શન કર્યું.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને મહેમાન ટીમ ફક્ત 165 રનમાં પડી ગઈ હતી. કિવી ટીમે પ્રથમ દાવમાં 348 રન બનાવ્યા હતા અને ભારત સામે 183 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 191 રન જ બનાવી શકી હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂર હતી, જે તેણે વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કરી લીધા હતા.
કોહલીએ કહ્યું, અમારે સમજવું પડશે કે આ મેચમાં અમે અમારું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપી શક્યા નહી અને આ વાત સ્વીકારવામાં અમને કોઈ જ શરમ નથી. અમે આ વાત માનીશું, ત્યારે જ આમાંથી બહાર નીકળી શકીશું અને આગામી મેચમાં સારી માનસિકતા અને સ્પર્ધાની સાથે રમી શકીશું. જે અમે એક શ્રેષ્ઠ ટીમ તરીકે દેખાડી ચૂક્યા છે.
કોહલીએ કહી આ વાત
કેપ્ટને કહ્યું, મને એ નથી સમજાતું કે આ હારને કેમ આટલી વખોડવામાં આવી રહી છે, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ ભારતની પહેલી હાર છે. હાર પછી પણ ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને બરકરાર છે. જાણે આ દુનિયાનું અંત હોય. તેણે કહ્યું, કેટલાક લોકો માટે આ દુનિયા ખતમ થવા જેવી વાત હોઈ શકે છે પરંતુ અમારા માટે આ ક્રિકેટની રમત છે. જે અમે હારી ગયા અને હવે અમારે આનાથી આગળ વધવું પડશે અને અમારું માથું ગર્વથી ઊંચું કરવું પડશે. આગળ કોહલીએ કહ્યું અમે જાણીએ છીએ કે, જીતવા માટે અમારે શ્રેષ્ઠ રમવું પડશે. આંતરરાષ્ટ્રીય સ્તર સરળ નથી, કારણ કે અહીં ટીમો આવતી રહે છે અને હારે પણ છે.