નાગરિકતા સંશોધન એક્ટની વિરુદ્ધ યૂપીના અલીગઢ અને રાજધાની લખનઉમાં થયેલા ઉગ્ર પ્રદર્શનની આગ પૂર્વાચલના મઉ જિલ્લા સુધી પહોંચી ગઇ છે. મઉ જિલ્લામાં સોમવાર નાગરિકતા સંશોધન એક્ટની વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા.
અલીગઢ અને રાજધાની લખનઉમાં થયેલા ઉગ્ર પ્રદર્શનની આગ પૂર્વાચલના મઉ જિલ્લા સુધી પહોંચી
મઉ જિલ્લામાં સોમવાર નાગરિકતા સંશોધન એક્ટની વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા
મઉમાં હાલ સ્તિથિ કાબૂમાં, તણાવ જોતા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે
સોમવારે બપોરે મઉમાં હજારો પ્રદર્શનકારીઓએ જ્યાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું તથા સાંજે ભીડમાં સામેલ કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગ લગાવી હતી. યૂપીના ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે મઉમાં હાલ સ્તિથિ કાબૂમાં છે અને તણાવ જોતા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે.
જ્યારે જિલ્લાધિકારી જ્ઞાન પ્રકાશ ત્રિપાઠીએ કહ્યું કે જિલ્લાના હાજીપુરા વિસ્તારમાં કેટલાક લોકો જામિયા મિલિયા ઇસ્લામિયાની ઘટનાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા. પોલીસે ઉગ્ર પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો. અને આ દરમિયાન હિંસક દેખાવકારોએ કેટલાક વાહનોને આગ લગાવી દીધી. હાલ જિલ્લામાં સ્થિતિ કાબૂમાં છે અને કલમ 144 લગાવી દેવાઇ છે. લોકોએ એક ડઝનથી વધારે વાહનોમાં તોડફોડ કરી અને આગ પણ લગાવી દીધી. આ ઉપરાંત ટોળાએ દક્ષિણ ટોલા સ્ટેશનમાં પણ આગ લગાવી હતી.
મઉ જિલ્લામાં થયેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ડીએમ, એસએસપી સહિત જિલ્લાના તમામ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. તણાવની સ્થિતિ જોતા જિલ્લામાં ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કર્યા છે. સાથે જ પાડોશી રાજ્યોમાંથી ભારે સંખ્યામાં પોલીસ, આરએએફ અને પીએસીના જવાનોને પણ બોલાવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રદેશ સરકારે પશ્ચિમ યૂપીમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકતા સંશોધન અધિનિયમ વિરુદ્ધ રવિવારે થયેલા પ્રદર્શનો બાદ અલીગઢમાં મંગળવાર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સહારનપુર અને કાસગંજ જિલ્લામાં પણ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તણાવની સ્થિતિ વચ્ચે મેરઠ, સહારનપુર, કાસગંજ, અલીગઢ જિલ્લામાં પોલીસ અને અર્ધસૈનિક દળોની કંપનીઓેને તહેનાત કરવામાં આવી છે.