ગત મહિને ઉત્તરાખંડના ચમૌલીમાં અચાનક આવેલા પુર અંગે વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં નવા દાવા કરતા તેનું મુખ્ય કારણ દર્શાવ્યું છે.
પુરનું મુખ્ય કારણ મોટા પત્થરોનું સરકવુ છે
આકારમાં મોટા અને ઉંચાઈ પર હોવાના કારણે વધારે પ્રમાણમાં એનર્જી પેદા થઈ
ચોટીથી ઠીક નીચે પત્થર સરકી ગયા જેના કારણે બરફ પીગળવાનો શરુ થઈ ગયો
પુરનું મુખ્ય કારણ મોટા પત્થરોનું સરકવુ છે
ઉત્તરાખંડ ચમૌલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 71 લોકોના મોત થયાની ખરાઈ થઈ ચૂકી છે. જ્યારે કે 130થી વધારે લોકો હજું ગુમ છે. આ ઘટનાને લઈને વૈજ્ઞાનિકોએ નવા દાવા કર્યા છે. ઋષિગંગા, ધૌલીગંગા અને અલકનંદા નહીઓમાં અચાનક આવેલા પુરનું મુખ્ય કારણ મોટા પત્થરોનું સરકવુ છે. ઈન્ટરનેશનલ સેન્ટ્રર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના એક્સપર્ટ્સનું કહેવું છે કે રોંતી પર્વતની ચોટીથી ઠીક નીચે પત્થર સરકી ગયા જેના કારણે બરફ પીગળવાનો શરુ થઈ ગયો. વિજ્ઞાનની ભાષામાં ‘રોકસ્લાઈડ’ કહેવામાં આવે છે.
આકારમાં મોટા અને ઉંચાઈ પર હોવાના કારણે વધારે પ્રમાણમાં એનર્જી પેદા થઈ.
આ પુરને લઈન નવા તથ્ય શુક્રવારે જારી કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુંસાર લગભગ 22 મિલિયન ક્યૂબિક મીટર ભારે પત્થર ગ્લેશિયર પર પડી ગયો. આના ચાલતા અચાનક પાણીનો ભારે પ્રવાહ આગળની તરફ વધ્યો. ICIMODના રિસર્ચ મુજબ આ પત્થરની પહોંળાઈ લગભગ 550 મીટર હતી. જે એક સમુદ્રની સપાટીના લગભગ 5500 મીટર ઉપર હતો. આકારમાં મોટા અને ઉંચાઈ પર હોવાના કારણે વધારે પ્રમાણમાં એનર્જી પેદા થઈ.
ICIMODમાં 8 દેશોના સભ્યો
ICIMODમાં ભારત, નેપાળ અને ચીન સહિત 8 દેશોના સભ્યો છે. આનાથી પહેલા વૈજ્ઞાનિકોએ અલગ અલગ તર્ક આપ્યા હતા. ગત દિવસે ગ્લેશિયલ અંગે જાણકારી રાખનારા વૈજ્ઞાનિકો(ગ્લેશિયોલોજિસ્ટ)ની 2 ટીમ જોશીમઠ- તપોવન ગઈ હતી. પ્રૌદ્યોહિકી વિભાગ(ડીએસટી)ના તત્વાવધાનમાં દહેરાદુનની વાડિયા ઈન્સ્ટ્રીટ્યૂટ ઓફ હિમાલય જિયોલોજી, વિસ્તારમાં હિમનદોં અને ભૂકંપીય ગતિવિધિઓ સહિત હિમાલયના વિભિન્ન પાસાઓનું અધ્યયન કરે છે. ઉત્તરાખંડમાં 2013ના પૂર પર પણ અધ્યયન કર્યુ હતું જેમાં લગભગ 5000 લોકો માર્યા ગયા હતા.
તૈયાર કરવામાં આવ્યો બ્રિજ
આ દરમિયાન બીઆરઓએ ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં ઋુષિ ગંગા નદીના જોશીમઠ- મલારી માર્ગ પર 200 ફુટ લાંબો એક ‘બેલી બ્રિજ’બનાવી 13 સીમાવર્તી ગામોના સંપર્ક યથાવત કરી દીધો છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પુલ જિલ્લામાં રેની ગામની પાસે બનાવ્યો છે અને આનાથી બુધવારે સામાન્ય લોકોના ઉપયોગ માટે ખોલી દેવામાં આવ્યો છે.