અમેરિકી સેના દ્વારા ઈરાનના બાહુબલિ જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કરાયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ સ્થિતિમાં તેની અસર વિશ્વના ઘણા દેશો પર જોવા મળી રહી છે.
અમેરિકી સેના દ્વારા ઈરાન પર હુમલો
બાહુબલિ જનરલ કાસિમ સુલેમાની મરાયો ઠાર
ડોનાલ્ટ્ર ટ્રમ્પના નિવેદન બાદ ભારત મુકાયું ધર્મ સંકટ
ઈરાન અમેરિકા તંગદિલીની અસર ભારત પર પણ જોવા મળી છે. કેમ કે ભારત મધ્યપૂર્વી એશિયા પર ઘણી બધી રીતે નિર્ભર છે. ત્યારે જો આ ક્ષેત્રમાં તણાવ વધે તો ભારત પર કેવી વિપરિત અસર પડી શકે છે.
ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત
દુનિયાના બે મોટા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ ઈરાન-ઈરાક બોર્ડર પાસે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની સહિત 8 લોકો ઠાર મરાયા હતા. આ હુમલાના તરત એક દિવસ બાદ શનિવારે સવારે અમેરિકાએ વધુ એક બીજો હુમલો કર્યો હતો.
અર્ધસૈનિક દળ હશદ અલ સાબીના સભ્યોને નિશાન બનાવાયા
આ હુમલામાં ઈરાકના અર્ધસૈનિક દળ હશદ અલ સાબીના સભ્યોને નિશાન બનાવાયા હતા. અમેરિકાએ બીજો હુમલો ઠીક એવા સમયે કરી દીધો જ્યારે હજુ કાસિમ સુલેમાનીની અંતિમસંસ્કારની તૈયારી થઈ રહી હતી. આપને જણાવી દઈએ કે, હુમલાનું નિશાન બનાવાયેલા ઈરાકના અર્ધ સૈન્ય નેટવર્ક હશદ અલ સાબી ઈરાનના શિયાસંગઠનો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જવાબી કાર્યવાહી ઇરાન પ્રોક્સીવોર કરશે તે નક્કી
અમેરિકાના હુમલા સામે હાલતો ઈરાને કોઈ સૈન્યકાર્યવાહી કરી પ્રતિક્રિયા આપી નથી. પરંતુ પોતાના સૈન્યવડાઓ પર થયેલા હુમલા બાદ સમસમી ઉઠેલું ઈરાન ક્યારે જવાબી કાર્યવાહી કરે કે પ્રોક્સીવોર કરશે તે નક્કી છે. જો ઈરાન અમેરિકા સામે કોઈ પગલું ઉઠાવશે તો મધ્યપૂર્વમાં તંગદિલી વધી જશે. આમ પણ ભારત ઘણા સમયથી આર્થિકમંદીનો માર સહન કરી રહ્યું છે ત્યારે તેની સામે વધારે એક ખતરાની ઘંટી વાગી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન -અમેરિકાની તંગદિલીની વિપરિત અસર ભારત પર પડી શકે છે.
ભારત વિરુદ્ધ આતંકી હુમલાના કાવતરામાં સામેલ હતો સુલેમાની
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ડોનાલ્ડ ટ્રંપ ઈરાનના કમાન્ડર પર કરેલા હુમલાને વાજબી ઠેરવ્યો છે. ટ્રંપનું કહેવું છે કે, તેમણે અમેરિકા સાથે યુદ્ધ ખતમ કરવા માટે સુલેમાનીનો ખાત્મો કર્યો છે. ટ્રંપે એવો પણ દાવો કર્યો છે કે, ઈરાનનો કમાન્ડર કાસિમ સુલેમાની ભારત વિરુદ્ધ આતંકી હુમલાના કાવતરામાં સામેલ હતો..
ખાડી દેશોમાં લગભગ 80 લાખ ભારતીય નાગરિકો કરી રહ્યા છે વસવાટ
એક તરફ અમેરિકા અન ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે તેવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પ્રકારનું નિવેદન આપીને ભારતને ધર્મસંકટમાં મૂક્યુ છે.કેમ કે એક તરફ અમેરિકા ભારતનું સૌથી મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર છે, પરંતુ ઈરાન સાથે ભારતના સાંસ્કૃત સંબંધો છે વળી ભારત મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચવા માટે. પાક.ને નજરઅંદાજ કરી વૈકલ્પિક રસ્તો શોધવાની ફિરાકમાં છે.આ રસ્તો ઈરાનના ચાબહાર પોર્ટ પાસેથી પસાર થાય છે. આ ઉપરાંત ખાડી દેશોમાં લગભગ 80 લાખ ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે. આથી તહેરાન સાથે સંબંધોમાં ખટાશ ઊભી કરવાનું પણ ભારત માટે શક્ય નથી.
ભારત માટે ધર્મસંકટ સર્જાયું
આ સ્થિતિમાં હવે ભારત કઈ રીતે મુત્સદ્દીપૂર્વક વર્તે છે તેના પર ભારત અને ઈરાનના સંબંધોનો આધાર છે. સાથે જ જો ઈરાના સંયમપૂર્વક વર્તે અને અમેરિકા વધારે ઉશ્કેરણી ન કરે તો જ મધ્યપૂર્વમાં શાંતિ જાળવવામાં મદદ મળશે. પરંતુ હાલના સંજોગો જોતાં ભારત માટે ધર્મસંકટ સર્જાયું છે તે વાત સ્પષ્ટ છે.