બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Union Home Minister Amit shah explained about changes in 3 crimimal laws of India in loksabha

સંસદ સત્ર / આતંકવાદની વ્યાખ્યા, મોબ લીંચિગ કેસમાં ફાંસી, CrPCમાં 531 કલમો, 150 વર્ષ જૂના 3 કાયદામાં ફેરફાર અંગે બોલ્યા અમિત શાહ

Vaidehi

Last Updated: 04:45 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં આજે 150 વર્ષ જૂના ત્રણ ક્રિમિનલ કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ બિલ રજૂ કર્યાં. તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ ક્રિમિનલ જસ્ટિસ લૉનું પહેલીવખત માનવીકરણ કરવામાં આવ્યું છે.

  • લોકસભામાં આજે 150 વર્ષ જૂના 3 કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ
  • ગૃહમંત્રી અમિત શાહે 3 નવા ક્રિમિનલ લૉ બિલની રજૂઆત કરી
  • કહ્યું અંગ્રેજોનાં જમાનાનાં કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યાં છે

ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, CRPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને એવિડેંસ એક્ટની જગ્યાએ ભારતીય પુરાવા બિલ 2023માં લોકસભામાં ફેરફાર કરવામાં આવ્યાં. આ ત્રણ ખરડા પર થયેલ ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ત્રણ કાયદાઓને ગુલામીની માનસિકતાથી મુક્ત કરવામાં આવ્યાં છે. તેમાં ન્યાય, સમાનતા અને નિષ્પક્ષતાને ઉમેરવામાં આવ્યાં છે. 150 વર્ષ જૂનાં અંગ્રેજોનાં જમાનાનાં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આ કાયદો પાસ થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની ન્યાય પ્રણાલી હશે. 

ક્રિમિનલ જસ્ટિસમાં માનવીકરણ
તેમણે કહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા અને તમામ સાથે સમાન વ્યવહારને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં ન્યાયની જૂની વ્યાખ્યા છે. અનેક પ્રકારનાં દર્શનને તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. દંડની કલ્પના ન્યાયથી ઊપજી છે. દંડ આપવાનાં ઉદેશ્યથી પીડિતને ન્યાય આપવું જેથી લોકો વધુ ભૂલો ન કરે. આ કારણે સમાજની અંદર ઉદાહરણ સ્થાપિત કરવાનો ઉદેશ્ય છે. આ કાયદો ભારતીય ન્યાય કાયદાને પ્રતિબિંબિત કરે છે. સ્વતંત્રતા બાદ ક્રિમિનલ જસ્ટિસનાં કાયદાનું માનવીકરણ થશે.

મોબ લીંચિંગ માટે ફાંસી
તેમણે કહ્યું કે આતંકવાદની વ્યાખ્યા પહેલીવાર મોદી સરકારે કરી છે. જેનાથી (કાયદાની ) ખામીઓનો કોઈ ફાયદો ન ઊઠાવી શકે. રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવાનું કામ કર્યું છે. વ્યક્તિની જગ્યાએ દેશને રાખ્યું છે. દેશને નુક્સાન કરનારા લોકોને બક્શવામાં નહીં આવે.  તેમણે કહ્યું કે આવનારા 100 વર્ષો સુધી જેટલા પણ ટેકનિકલ ફેરફાર થશે, તમામ પ્રાવધાન આ કાયદામાં કરી દેવામાં આવ્યાં છે. મોબ લીંચિંગ ઘૃણિત અપરાધ છે અને અમે આ કાયદામાં મોબ લીંચિંગ અપરાધ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે. 

આ ફેરફારો થશે
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પહેલાં 484 કલમો હતી, હવે 531 થશે. 177 કલમોમાં ફેરફાર થયાં છએ. 9 નવી કલમો ઊમેરવામાં આવી છે અને 39 નવા સબસેક્શન ઉમેરવામાં આવ્યાં છે .44 નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ જોડવામાં આવ્યાં છે. 35 સેક્શનમાં ટાઈમ લાઈન જોડવામાં આવી છે અને 14 કલમોને હટાવી દેવામાં આવી છે .

મોદી સરકાર જે બોલે છે તે કરે છે- અમિત શાહ
તેમણે કહ્યું કે વર્ષ 2014માં PM મોદીની સરકાર બન્યા બાદ મેનિફેસ્ટોને સંપૂર્ણપણે લાગૂ કરવામાં આવ્યું. 370ની કલમ હટાવવામાં આવી. આતંકવાદ સામે ઝીરો ટોલેરેંસ નીતિ લાગૂ કરવામાં આવી. અયોધ્યામાં રામ મંદિર બનશે. 22 જાન્યુઆરીનાં રામલલા વિરાજમાન થશે. નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે અને આ મુદાઓની સાથએ જ તેમની પાર્ટી ચૂંટણીમાં લડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ