બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / under the Pradhan Mantri Gyanveer Yojana, the central government will give 3400 rupees every month

FACT CHECK / પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ સરકાર દર મહિને આપશે 3400 રુપિયા? જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ

Hiralal

Last Updated: 10:39 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કંઈને કંઈ ફેક મેસેજ ફેલાતા રહે છે અને તેને કારણે લોકો ગેરમાર્ગે દોરવાતા હોય છે અને તેને કારણે સરકારને ખુલાસો કરવો પડતો હોય છે.

  • સોશિયલ મીડિયા પર ફેલાયો ફેક મેસેજ
  • પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં દર મહિને મળશે 3400 રુપિયા
  • ફેક્ટ ચેકમાં મેસેજ ખોટો હોવાનું સાબિત થયું
  • લોકોને આ મેસેજ શેર ન કરવાની કરાઈ અપીલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ ભારત સરકાર દરેક યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે. આ સાથે જ લોકો તરફથી મેસેજ રજિસ્ટ્રેશન માટે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જેના પર ક્લિક કરીને તમને એપ્લાય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી ખુલાસો સામે આવ્યો છે. 

શું દાવો કરાયો વાયરલ મેસેજમાં 
વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, "સરકારનો મોટો નિર્ણય, તમામ યુવાનોને દર મહિને 3400 મળશે. મને પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનાથી 3400 રૂપિયા મળી ચૂક્યા છે, તમે પણ રજિસ્ટ્રેશન કરાવો. પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, આ યોજના હેઠળ તમામ યુવાનોને રૂ.3400ની સહાય મળશે. નીચે આપેલી લિંક પરથી હવે નોંધણી કરાવો - https://re...................................... આ મેસેજ ખૂબ જ ઝડપથી વોટ્સએપ પર વાયરલ થયો હતો.

પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક, દાવો ખોટો હોવાનું સાબિત થયું 
વાયરલ મેસેજ પર પીઆઈબી ફેક્ટ ચેકે પોતે જ આની નોંધ લીધી અને આ યોજના હેઠળ મળેલી રકમ વિશે સત્ય જણાવ્યું. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, વાયરલ મેસેજમાં 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપવાની વાત સંપૂર્ણપણે ફેક છે. 

લોકો ફેક મેસેજને શેર ન કરે- સરકારની અપીલ 
ફેક્ટ ચેક બાદ સરકારે લોકોને પોતાની વ્યક્તિગત માહિતી આવી લિંક પર શેર ન કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે 
સાયબર ગુનેગારો લોકોને બનાવટી યોજના વિશે જણાવે છે અને છેતરપિંડીની લિંક પર તેમના બેંક ખાતાથી સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરે છે અને પછી તેમનું બેંક ખાતું ખાલી કરે છે. પીઆઈબી ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે આવા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એકવાર ચેક કરી લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ