ગીર-સોમનાથ: વેરાવળમાં ગેરકાયદે બાંધકામ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. વેરાવળમાં 70 જેટલાં ગેરકાયદે થયેલા બાંધકામને લઈને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ગેરકાયદે ઈમારતના માલિકો સહિત નગર પાલિકાના ચીફ ઓફિસરને પણ નોટિસ ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે વેરાવળના RTI એક્ટિવિસ્ટે પાલિકા અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયા. આખરે ફરિયાદી અફજલ પટનીએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા. ફરિયાદના પગલે હાઈકોર્ટે એક્શન લીધા અને નોટિસ ફટકારી.
સરકારી જમીન પર કબજો જમાવીને કોમર્શિયલ કોમ્પલેક્ષ ઉભા કરી સરકારની આંખોમાં ધૂળ નાખી છે. ત્યારે એવા આરોપ લાગ્યા છે કે ભૂમાફિયા સાથે અનેક રાજકીય નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ છે. ત્યારે મહિલા પ્રમુખે ખાતરી આપી છે કે કોઈને બક્ષવામાં નહીં આવે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ ગેર-કાયદે બાંધકામ મામલે હાઇકોર્ટે સ્થાનિક મનપાના અધિકારી કડક શબ્દોમાં જણાવીને તાત્કાલિક અસરથી આ મામલે કાર્યવાહી કરવાની સૂચના આપતા અમદાવાદના મોટો ભાગના વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
તો કેટલાક બાંધકામોને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ગામે પણ થયેલા ગેરકાયદે બાંધકામ સામ રાજ્યની હાઇકોર્ટે લાલઆંખ કરી છે.