યુકે જનારા તે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. જેમણે કોવૈક્સીનની રસી લગાવી લીધી હતી.
22 નવેમ્બરથી કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે ઈંગ્લેન્ડ જઈને ક્વોરેન્ટાઈન નહીં થવું પડે
યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે
કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી
22 નવેમ્બરથી કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે ઈંગ્લેન્ડ જઈને ક્વોરેન્ટાઈન નહીં થવું પડે
આખરે યુકે ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. ભારતમાં કોવેક્સીનને હવે યુકે સરકાર ઈન્ટરેનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. 22 નવેમ્બરથી કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે ઈંગ્લેન્ડ જઈને ક્વોરેન્ટાઈન નહીં થવું પડે.
યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે
ઉલ્લેખનીય છે કે યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે. ઉલ્લેખનીય છે કે કોવૈક્સીન ભારતમાં ઉપયોગમાં લેનારી બીજી સૌથી મોટી રસી છે. પહેલા કોવૈક્સીન લેનારાને યુકેમાં પ્રવાસ દરમિયાન ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતુ. પરંતુ 22 નવેમ્બરથી હવે આવું નહીં થાય.
કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી
આ ઉપરાંત કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી હતી. WHOની કોવૈક્સીન માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરીના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસમાં વૃદ્ધિ થઈ.
એલક્સ ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત એલિસે સોમવારે ટ્વીટર પર એ વાત કહી કે, યુકેમાં ભારતીય પ્રવાસીઓ માટે વધુ સારા સમાચાર છે. 22 નવેમ્બરથી જે પ્રવાસીઓને સંપૂર્ણ રીતે એક કોરોના રસી કોવેક્સીન લગાવવામાં આવી છે. તેમણે હવે ક્વોરેન્ટાઈનમાં રહેવાની જરુર નહીં પડે. એટલા માટે કોવિશીલ્ડની સાથે સંપૂર્ણ રીતે રસીકરણ કરનારામાં સામેલ થશે.