બ્રિટનના ઉપપ્રધાનમંત્રી ડોમિનિક રાબનું ઓમિક્રોનને લઈને આપેલું નિવેદન દુનિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે જોકે તેમણે ભૂલથી આવું કર્યું છે.
બ્રિટનના ઉપપ્રધાનમંત્રી ડોમિનિક રાબનું નિવેદન
કહ્યું બ્રિટનમાં ઓમિક્રોન સંક્રમિત 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે
તેમના નિવેદનને મીડિયા રિપોર્ટમાં ખોટું ગણાવાયુ
બ્રિટનમાં 10 ઓમિક્રોન દર્દીઓ હોવાનું જણાવાયું
તેમના નિવેદનથી દુનિયામાં ડર ફેલાયો
બ્રિટનના ઉપપ્રધાનમંત્રી ડોમિનિક રાબે જણાવ્યું કે બ્રિટનમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લગભગ 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલા છે જોકે મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો કે ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે ભૂલથી આવું નિવેદન આપ્યું છે. બ્રિટનમાં 250 નહીં પરંતુ ઓમિક્રોનના 10 કેસ છે.
દુનિયામાં ઓમિક્રોનના ખૌફની વચ્ચે તેમનું આ નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું
દુનિયામાં ઓમિક્રોનના ખૌફની વચ્ચે તેમનું આ નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે. નિષ્ણાંતોએ કહ્યું કે આ નિવેદનને કારણે લોકોમાં ડર ફેલાઈ શકે છે. ઉપપ્રધાનમંત્રી જેવા મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિએ નિવેદન આપતા પહેલા ખરાઈ કરવી જોઈતી હોવાનું પણ તેઓ જણાવી રહ્યાં છે.
બ્રિટનમાં ઓમિક્રોનથી થયું દુનિયાનું પહેલું મોત
દુનિયા માટે મોટા માઠા સમાચાર તો હવે આવ્યાં છે. ઓમિક્રોનને કારણે દુનિયામાં પહેલી વાર મોત થયું છે. બ્રિટનમાં ઓમિક્રોન પોઝિટીવ દર્દીનું મોત થયું હોવાની માહિતી ત્યાંના પીએમ બોરિસ જોન્સને આપી છે. પીએમ બોરિસ જોન્સને ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં ઓમિક્રોન પોઝિટીવ એક દર્દીનું મોત થયું છે.
ચીનમાં લોકડાઉન
ચીનમાં કોરોના વાયરસ પગપેસારો કરી રહ્યો છે. ઓમિક્રોનના 73 કેસ આવ્યાં બાદ ચીનના ઝેજિયાંગ વિસ્તારમાં ફરી લોકડાઉન લગાડી દેવાયું છે. દેશ અને દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને ગતિને નાથવા દુનિયાના દેશો કડક પ્રતિબંધો સહિતના તમામ પગલા ઉઠાવી રહ્યાં છે. આ ક્રમે ચીને પહેલ કરી છે અને 6 થી 12 ડિસેમ્બર ની વચ્ચે કોરોનાના 173 કેસ નોંધાતા ઝેજિયાંગ પ્રાંતમાં લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. ચીનમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાનો નિષ્ણાંતોનો મત છે.