આધાર કાર્ડ જારી કરનાર ઓથોરિટીએ 6 લાખ નકલી આધાર કાર્ડને રદ કરી નાખ્યાં છે.
UIDAIએ રદ કરી નાખ્યાં 6 લાખ આધાર કાર્ડ
તમામ આધાર કાર્ડ નકલી હતા
નકલી વેબસાઈટ દ્વારા બનાવાયા હતા
આધાર કાર્ડ જારી કરનાર ઓથોરિટી ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે (UIDAI) નકલી આધાર કાર્ડ રાખનાર લોકોની સામે મોટી કાર્યવાહી કરી છે. UIDAIએ લગભગ 6 લાખ નકલી આધાર કાર્ડને રદ્દ કરી દીધા છે. સંસદમાં નકલી આધાર કાર્ડ સંબંધિત એક સવાલનો જવાબ આપતા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આધાર કાર્ડનું ડુપ્લિેકેશન રોકવા માટે UIDAI ઘણા પગલાં ઉઠાવી રહી છે.
આધારકાર્ડમાં વધારાનું વેરિફિકેશન ઉમેરાયું
મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં ડુપ્લિકેટ આધાર કાર્ડ રદ કરવાની જાણકારી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે, ડુપ્લીકેટ આધારના મુદ્દાને ઉકેલવા માટે યુઆઈડીએઆઈ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે અને તેમણે કહ્યું હતું કે, આધાર કાર્ડમાં એક વધારાનું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેમાં આધાર ચકાસણી માટે ટૂંક સમયમાં ચહેરા એટલે કે ચહેરાનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી આધારનું વેરિફિકેશન માત્ર ફિંગરપ્રિન્ટ અને આઈરિસની મદદથી જ થતું હતું.
ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનાર સાઈટ્સ થઈ જશે બ્લોક
મંત્રી ચંદ્રશેખરે કહ્યું હતું કે, યુઆઈડીએઆઈએ નકલી વેબસાઈટને નોટીસ પાઠવી છે. તેમણે કહ્યું કે નકલી વેબસાઈટને નોટીસ મોકલીને તેમને તત્કાળ તેની સેવાઓ બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. કેટલીક ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનાર સાઈટ્સને બ્લોક કરવાનો પણ આદેશ આપી દેવાયો છે.