સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કોરોનાએ ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મોડી સાંજે કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે બન્ને દર્દી વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા. જોકે બન્નેની હાલત સ્થિર છે.
ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી
કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ અને સુરતમાં કેસ પોઝિટિવ નોંધાયા
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ મીડિયાને જણાવતાં કહ્યું કે ગુજરાતમાં રાજકોટ અને સુરતમાં કોરોના વાયરસના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહી છે.
રાજકોટ અને સુરતમાં કોરોના વાયરસના એક-એક પોઝિટિવ કેસ
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં મક્કા-મદીનાથી આવેલાં યુવાનને કોરોના વાયરસનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 40થી વધુ ટીમોને ઉતારી દેવાઈ છે. 225થી વધુ આરોગ્ય કર્મચારીઓ જંગલેશ્વર વિસ્તારમાં ફરી વળ્યા છે.
સુરતમાં એક યુવતીને કોરોના વાયરસનો કેસ પોઝિટિવ છે. આ યુવતી લંડનથી પરત ફરી છે. જયંતિ રવિના કહેવા મુજબ યુવતી થોડા દિવસ પહેલાં જ લંડનથી આવી છે. હાલમાં તે કોરોના પોઝિટિવ છે. પરંતુ ક્રિટીકલ નથી. આરોગ્ય વિભાગ સતત તેના પર નજર રાખી રહ્યું છે. હાલમાં સુરત અને રાજકોટ બંને કેસમાં કોરોનાનો ચેપ લાગેલાં બંને દર્દી હેલ્થ રિકવરી પણ સારી છે. તેઓ હાલમાં વેન્ટિલેટર પર પણ નથી સામાન્ય શ્વાસોશ્વાસ કરી રહ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કર્યું ટ્વીટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વીટ કરી માહિતી આપી છે. ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રીના પગલે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. હાલ બંને દર્દી સારવાર હેઠળ છે. બંને દર્દી વિદેશથી આવ્યા હતા. રાજકોટમાં સારવાર લઈ રહેલો દર્દી મક્કા મદીનાથી ભારત પરત ફર્યો છે. જ્યારે સુરતની યુવતી અમેરિકાથી સ્વદેશ પરત ફરી છે. રાજકોટમાં જે દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારજનો સહિત કુલ 17 લોકોને પણ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જે લોકોનો દર્દી સાથે રૂબરૂ સંપર્ક થયો છે તે તમામને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. બીજી તરફ સાવચેતીના ભાગ રૂપે સુરતમાં કલમ 144 લગાવી દેવાઈ છે અને એક જગ્યાએ મોટી સંખ્યામાં એકઠાં થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસથી પંજાબમાં ચોથા વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ છે.
કોરોના વાયરસને પગલે સુરતમાં કલમ 144 લાગુ
સુરતમાં 144 ધારા લાગુ કરાઈ છે. કોરોના વાયરસના પગલે પોલીસ કમિશનર દ્વારા 144 ધારા લાગુ કરવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે થિયેટર અને મોલ ફરજિયાત બંધ રાખવા આદેશ કર્યો છે. તેમજ હોટલ પર વધુ લોકોને એકઠા ન થવા દેવા સૂચના આપી છે.