પોલીસે યુવાનની હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયંગબર સામેની નુપુર શર્માની ટીપ્પણી બાદ હત્યાની પહેલી ઘટના બની છે. રાજસ્થાનના ઉદયપુરમાં બે લોકોએ નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ લખવા બદલ એક વ્યક્તિનું ધારધાર હથિયારથી માથું કાપી નાખ્યું હતું. મૃતકના 8 વર્ષના પુત્રે મોબાઈલમાંથી ટ્વિટ કરીને નુપુર શર્માનું સમર્થન કર્યું હતું આથી ક્રોધે ભરાઈને બે કટ્ટરપંથીઓે છરા વડે યુવાન કનૈયાલાલનું ગળું કાપી નાખ્યું હતું. ઘાતકી હત્યા બાદ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને રાજસમંદમાં છુપાયા હતા.
Both the accused of murder of a man in Udaipur arrested from Rajsamand. The investigation in this case will be done under the Case Officer Scheme and by ensuring speedy investigation the criminals will be punished severely in the court: Rajasthan CM pic.twitter.com/1D4h3RmBZM
હત્યા બાદ ઉદયપુરમાં ફેલાઈ તંગદિલિ, ઈન્ટરનેટ બંધ કરાયું
કનૈયાલાલની હત્યા બાદ ઉદપુરમાં ભારેલો અગ્નિ સર્જાયો હતો. લોકો દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતરી પડ્યાં હતા. ઘટનાને પગલે શહેરમાં તંગદિલિ ફેલાતા સત્તાવાળાઓ દ્વારા તકેદારીના પગલારુપે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું.
જે વિસ્તારમાં ઘટના બની ત્યાં કલમ 144 લાગુ
ઉદયપુરના જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં પોલીસ દ્વારા કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે જેથી કરીને એક ઠેકાણે ઝાઝા લોકો ભેગા ન થઈ શકે.
Udaipur beheading incident | Rajasthan: Both the accused have been detained. The law and order situation is under control. Some people were attempting to come out of the bylanes but were controlled. Curfew imposed in the nearby areas: Manoj Kumar, SP, Udaipur pic.twitter.com/FrxHbnfCfX
સલામતીના પગલાં રુપે કલેક્ટર દ્વારા ઉદયપુરમાં સાત વિસ્તારમાં કર્ફ્યુ લાગુ પાડી દેવાયો છે.
Rajasthan | In view of the incident under the Dhan Mandi Police Station limits in Udaipur today, Section 144 & curfew imposed in Dhanmandi, Ghantaghar, Hathipol, Ambamata, Surajpol, Bhupalpura and Savina PS areas of Udaipur district. This will be effective until further orders pic.twitter.com/mwC1YQ6L3q
મૃતકના આઠ વર્ષના પુત્રે મોબાઈલથી નૂપુર શર્માનું સમર્થનમાં ટ્વિટ કર્યું હતું
જાણકારી અનુસાર મૃતક કનૈયાલાલના આઠ વર્ષના પુત્રએ પોતાના મોબાઈલથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પછી આરોપી ગુસ્સે ભરાયા હતા અને તેમણે હથિયારથી યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી.
હિંદુ સંગઠનોમાં ફેલાયો આક્રોશ
આ ઘટના બાદ હિંદુ સંગઠનો આક્રોશ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની ઉગ્ર માગ ઉઠી રહી છે. ઘટના બાદ શહેરમાં તંગદિલિ ફેલાઈ છે
Tailor murder: Curfew imposed in 7 police station areas of Udaipur from 8 pm, says collector
ભાજપ નેતા નુપુર શર્માએ કરી હતી પયગંબર પર વિવાદીત ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા નુપુર શર્માએ ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર પર વિવાદીત ટીપ્પણી કરી હતી જેને લઈને ખૂબ મોટાપાયે વિરોધ થયો હતો અને ભાજપે તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કર્યાં હતા.