રાજધાની દિલ્હીમાં પહેલીવાર કોરોનાથી ફરી સંક્રમિત થવાના મામલા સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક સ્વાસ્થ્ય કર્મચારી અને એક અન્ય વ્યક્તિને 2-2 વાર કોરોના સંક્રમણ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક દર્દીને સાજા થયાના 25 દિવસ બાદ ફરી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
બીજી વાર કોરોનાગ્રસ્ત થઈ મહિલા
સાજા થયાના 25 દિવસમાં ફરી કોરોના
મહિલા દર્દીમાં એન્ટીબોડી નહોતી બની
બીજી વાર કોરોનાગ્રસ્ત થઈ મહિલા
હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યાનુંસાર એક મહિલા સ્વાસ્થ્ય કર્મી કોરોનાગ્રસ્ત થતા તેને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનામાં હળવા લક્ષણો હોવાના કારણે તેને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. 17 દિવસ હોમ આઈસોલેશનમાં રહી અને તે બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ એ બાદ તે મહિલા સ્વાસ્થ્ય કર્મચારીને ફરી કોરોના થઈ ગયો. કફ થવાની સાથે તેની માંસપેશિયોમાં દુખાવો અને નબળાઈની ફરિયાદની સાથે હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા. જોકે ભરતી થયા બાદ કેટલાક તે નેગેટિવ આપતા તેન ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
સાજા થયાના 25 દિવસમાં ફરી કોરોના
આ જ રીતે વધું એક કેસ સામે આવ્યો છે. એક ડાયબિટીશના દર્દીને કોરોના સંક્રમણ થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. લગભગ 10 દિવસ બાદ તે નેગેટિવ આવતા તેને રજા આપી દેવાઈ હતી. પરંતુ તેના સાજા થયાના 25 દિવસ બાદ તેને પાછો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. તપાસમાં તેને ફરી કોરોના થયાની પુષ્ટિ થઈ છે.
મહિલા દર્દીમાં એન્ટીબોડી નહોતી બની
હોસ્પિટલના વરિષ્ઠ ડૉ. અતુલ કક્કડે જણાવ્યું કે કોરોના વાયરસના ફરી થવાના કેસ ઘણા ઓછા છે પણ એ સત્ય છે કે એક જ દર્દીને એકથી વધારે વાર કોરોના થઈ શકે છે. આ બન્ને કેસ ફરી કોરોના થવા સાથે જોડાયેલા છે. આ બન્ને દર્દીઓમાં જીનોમ સિક્કેસિંગ પણ કરવામાં આવ્યું છે જેથી સંક્રમણ અંગે વધારે માહિતી મેળવી શકાય. મહિલા સ્વાસ્થ્યકર્મીમાં એન્ટીબોર્ડીની તપાસ કરવામાં આવી. પરંતુ રિપોર્ટ નેગેટિવ આવી તેનામાં એન્ટીબોડી નહોતી. સામાન્ય રીતે એકવાર કોરોના થયા બાદ સાજા થયા પછી વ્યક્તિમાં 3 મહિના સુધી એન્ટીબોડી રહેતી હોય છે.