રાજકોટમાં મજુરી કામ કરતી બે બહેનપણીઓએ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું આપઘાતનું કારણ અકબંધ, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં બે બહેનપણીઓએ કર્યો આપઘાત
બહેનપણીઓએ આપઘાત કરી લેતા ચકચાર
ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટમાં એક દિવસે બે તરૂણીઓએ આપઘાત કરી લેતા ચરચાર મચી ગઈ છે, આ બંને તરૂણીઓ એક બીજાની ખાસ બહેણપણીઓ હોવાનું પણ મનાઈ રહ્યું છે મહત્વનું છે કે એક બહેણપણીએ આપઘાત કરી લેતા અન્ય બહેનપણીએ પણ જીવન ટુંકાવી દેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
બહેનપણીઓએ આપઘાત કરી લેતા ચકચાર
હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી તેમના મૃતદેહનો પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે બંને તરૂણીઓ મજુરી કામ કરતી હતી જેમાંથી એકની ઉંમર 17 વર્ષી તો બીજીની ઉંમર 20 વર્ષની હતી જો કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી કે આ તરૂણીઓએ કેમ આવું પગલું ભર્યું જો કે હાલ તો આ ઘટનાને લઈ આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે તો પોલીસે પણ ઘટના મામલે સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે.
ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહત્વનું છે કે રાજ્યમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે ક્યારેક આર્થિક મુશ્કેલી તો પારિવારીક ઝગડાઓને કારણે આપઘાતના બનાવો સામે આવતા હોય છે, આજકાલ મોબાઈલનો વધતા જતા ક્રેઝ પણ આત્મહત્યા પાછળનું કારણે માનવામાં આવે છે, પરતું હવે બે રાજકોટમાં બે બહેનપણીઓએ આપઘાત કરી લેતા પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે. જોકે આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.