જેતપુરમાં ભાદર નદીના કાંઠે બે બાળકોના રમતા રમતા મોત થયા છે. બાળકો રમી રહ્યા હતા તે સમયે તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા જેના કારણે ઘટના સ્થળેજ તેમના કમકમાટી ભર્યા મોત નિપજ્યા.
ટ્રેન નીચે આવી જતા બે બાળકોના મોત
રમતા રમતા બાળકો ટ્રેન નીચે આવી ગયા
ભાદર નદીના પુલ પરનો બનાવ
જેતપુરમાં રમતા રમતા બે બાળકોના કમકમાટી ભર્યા મોત થયા છે. રમત રમતા રમતા બાળકો ટ્રેનના પાટા પર આવી ચઢ્યા અને ટ્રેન તેમના પર ફરી ગઈ જેના કારણે બાળકોનું કરૂણ મોત થયું છે. ભાદર નદીના પાસે આ બનાવ બન્યો જેમા શંભુ પ્રસાદ અને દિપું સિંઘેર નામના બે બાળકના જીવ હોમાઈ ગયા છે.
આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ
ભાદર નદીના પુલ પરજ આ બનાવ બન્યો જેમા એક બાળક ટ્રેન નીચે અડફેટે આવીને નદીમાં પડ્યો હતો. બનાવને કારણે આસપાસના વિસ્તારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકોના મોતની જાણ થતા સ્થાનિકો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત આ મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે જેતપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા
પોલીસ જ્યારે સ્થળ પર પહોચી ત્યારે પોલીસે તુરંત બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જેમા સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃતદેહને ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
રેલ્વે ટ્રેક પાસે ઝૂંપડી બાંધીને લોકો રહે છે
ઉલ્લેખનીય છે કે જેતપુરના ઘણા વિસ્તારોમાં રેલ્વે ટ્રેક પાસે લોકો ઝુંપડી બનાવીને રહેતા હોય છે. જે લોકો અહીયા મજુરી કામ કરવા આવતા હોય છે. તે લોકો મોટા ભાગે અહીયા ભાડેથી રહેતા હોય છે. જેથી લોકોની માગ છે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી કરીને આવા બનાવ બીજી વખત બનતા અટકે