ડેન્ટિસ્ટે સલાહ આપી છે કે કોરોનાના દર્દીએ કોરોના થયાના પહેલા પરીક્ષણના 20 દિવસમાં પોતાનું ટૂથબ્રશ અને ટંગ ક્લીનર ચેન્જ કરી લેવા જરૂરી છે.
જાણો ડેન્ટિસ્ટની સલાહ
કોરોનાથી સાજા થયા બાદ તમારે ટૂથબ્રશ બદલવું જોઈએ?
20 દિવસમાં પોતાનું ટૂથબ્રશ અને ટંગ ક્લીનર ચેન્જ કરી લેવા
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સાથે રોજ દેશમાં તેના કેસ પણ વધી રહ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે જો કોરોનાથી સાજા થયા બાદ વ્યક્તિ ફરીથી સંક્રમિત થઈ શકે છે. કોરોના વેક્સીન કારગર સાબિત થઈ રહી છે. એક્સપર્ટસનું માનવું છે કે દરેક પરિસ્થિતમાં દરેક સમયે 100 ટકા સુરક્ષાની ગેરેંટી મળી શકતી નથી.
સાવધાની રાખવી જરૂરી
એ લોકો માટે સાવધાની રાખવી જરૂરી છે જેઓ પહેલા કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ સાથે એ લોકો જેઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. ડેન્ટિસ્ટની સલાહ છે કે જે વ્યક્તિ હાલમાં કોરોનાથી સાજા થઈને ઘરે પરત આવ્યા છે તેઓએ તરત જ ટૂથબ્રશ અને ટંગ ક્લીનરને બદલી લેવા જોઈએ. આમ કરવાથી તેઓ ફક્ત સંક્રમણથી બચે છે એવુ નથી પણ ઘરના અન્ય લોકોને પણ સંક્રમિત થવાથી બચાવે છે. આ ખાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં એક જ વોશરૂમનો ઉપયોગ કરવામાં આવે. તમે કે તમારા પરિવાર અને દોસ્તામાંથી કોઈને પણ કોરોના થયો છે તો તમે સાજા થયા બાદ તમારું ટૂથબ્રશ અને ટંગ ક્લીનર બદલી લો તે આવશ્યક છે.
એક ડેન્ટિસ્ટે કહ્યું છે કે અમે કોરોના દર્દીને સલાહ આપીએ છીએ કે તમને કોરોના થયો છે તો પહેલા રિપોર્ટના 20 દિવસ બાદ તમે ટંગ ક્લીનર અને ટૂથબ્રશ ચેન્જ કરી લો. સાવધાની માટે તમે માઉથવોશ અને બીટાડીન ગાર્ગલ કરી શકો છો. જે મોઢાના વાયરસને ઘટાડવામાં મદદ કરે છે. જો માઉથવોશ નથી તો તમે ગરમ પાણીના કોગળા કરી શકો છો. આ સિવાય તમે દિવસમાં 2 વાર બ્રશ કરો તે જરૂરી છે.