આજે હોળીકા દહનના દિવસે આપણે ભૂલથી પણ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવું પડશે
હોળીકા દહન આજે સાંજે કરવામાં આવશે
હોળીકા દહનના દિવસે ભૂલથી પણ 5 કામ ન કરવા
આ રંગના કપડાં પહેરવાનું ટાળો
હિન્દુ ધર્મમાં હોળી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. હોળી, રંગોનો તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન થાય છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે ધૂળેટી 8 માર્ચે બુધવારે મનાવવામાં આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.
હોળીકા દહન આજે કરવું કે કાલે?
ઘણા લોકો આજે તો ઘણા આવતીકાલે હોળીકાદહન કરવાના છે. એવામાં જ્યોતિષી મુજબ હોળી રાતનો તહેવાર ગણવામાં આવે છે અને હોળીની રાતરેપુનમ હોવી જરૂરી છે. જો આપણે પૂર્ણિમાની તારીખવિશે વાત કરીએ તો 06 માર્ચે સાંજે 04:17 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સાંજે 06:09 વાગ્યે સમાપ્ત થશે અને 6:53 સુધી સૂર્યાસ્ત થઈ જાય છે એટલે કે મંગળવારના દિવસે સૂર્યાસ્ત પહેલા જ પૂનમ પૂરી થઈ જાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ સાથે 6 માર્ચે ભદ્રા સાંજે 04.17 વાગ્યે શરૂ થશે, જે 7 માર્ચના રોજ સવારે 5.15 વાગ્યા સુધી ચાલશે. કારણ કે હોળીકા દહન ભદ્રાના સમયગાળા દરમિયાન થતું નથી. જો આ સમયગાળા દરમિયાન હોળીકા દહન કરવામાં આવે તો તેની ખૂબ જ નકારાત્મક અસર થાય છે. તેથી જ તારીખની ભૂમિકા મહત્વની બની જાય છે.
આ વાત પર જ્યોતિષના જાણકાર કહે છે કે સોમવારે આવતી ભદ્રા મંગલકારી ગણવામાં આવે છે. એટલે ઘણા સ્થળોએ હોળીકા દહન આજે કરવામાં આવી રહ્યું છે.
જ્યોતિષીઓનું કહેવું છે કે 7 માર્ચે યોજાનારા હોળીકા દહનના દિવસે આપણે ભૂલથી પણ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવું પડશે.
આ રંગના કપડાં પહેરવાનું ટાળો
જ્યોતિષશાસ્ત્રી અનુસાર હોળીકા દહનના દિવસે કાળા અથવા પીળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે આ બંને રંગ નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે પરસ્પર સંબંધો બગડે છે.
કીમતી વસ્તુ કે પૈસા ઉધાર ન આપો
હોળીકા દહનના દિવસે પૈસા કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ ઉદ્ધાર ન આપવી જોઈએ. એવું કહેવાય છે કે એ દિવસે પૈસા અથવા કિંમતી વસ્તુઓ બીજાને આપવાથી ઘરમાં આર્થિક સંકટનો સમયગાળો શરૂ થાય છે.
રસ્તા પર પડેલ વસ્તુઓ ન અડકવી
હોળીકા દહનના દિવસે ઘણી વખત અજીબ વસ્તુઓ રસ્તાઓ પર અજીબ વસ્તુઓ વિચિત્ર હાલતમાં પડેલી જોવા મળે છે. આ બધી વસ્તુઓ પર મેલીવિદ્યા હોઈ શકે છે, જે તમારા પર ખરાબ અસર કરી શકે છે. એટલા માટે આવૈ વસ્તુઓનો સ્પર્શ ન કરવો જોઈએ.
વાળને ખુલ્લા ન રાખો
હોળીકા દહનના દિવસે મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એ દિવસે શક્ય હોય તો વાળમાં તેલ લગાવો અને તેને યોગ્ય રીતે બાંધો. એવું માનવામાં આવે છે કે ખુલ્લા વાળથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થઈ શકે છે.
બહારના લોકો ખોરાક આપે એ ન ખાવો
હોળીકા દહનના દિવસે જો કોઈ બહારના લોકો કે અજાણી વ્યક્તિ તમને ખાવા માટે કોઈપણ વસ્તુ આપે કે પીવા માટે કઈં પણ આપે તો તેનું ગ્રહણ ન કરવું જોઈએ.