બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Kishor
Last Updated: 08:38 AM, 16 October 2023
હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાં જેની ગણના થાય છે. તેવા મુખ્ય તહેવારોમાના એક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ. આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા આરાધનાનું મહત્વ છે. માન્યતા તો એવી છે કે આ દિવસે ધાર્મિક વિધિ મુજબ દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. માતાજીને ખાંડ પ્રિય હોવાથી આવી સ્થિતિમાં તમારે માતાજીને સાકર અર્પણ કરવી જોઈએ.ધાર્મિક ગ્રંથો અનુસાર માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શક્તિ, ત્યાગ, સંયમ અને ત્યાગમાં વિકાસ થાય છે. માતા બ્રહ્મચારિણા તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા તરીકે પણ ઓળખાય છે.
તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમનોસંચાર
બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. માના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે. માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી મનુષ્યને ભક્તિ અને સિદ્ધી બંનેની પ્રાપ્તિ થાય છે. માતા પ્રસન્ન થઈને ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ આપે છે.
માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીએ તેના આગલા જન્મમાં પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો હતો. જેને ભગવાન શંકરને તેના પતિ માંગવા માટે હજારો વર્ષો કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તે બ્રહ્મચારિણી તરીકે ઓળખાઇ. વધુમાં માતા બ્રહ્મચારિણીને જ્ઞાન અને તપની દેવી માનવામાં આવતા હોવાથી જે ભક્ત મા બ્રહ્મચારિણીની નિષ્ઠાથી પૂજા કરે તો જપ અને તપ શક્તિમાં વધારો થાય છે અને તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.
આ રીતે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા
સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. બાદમાં માતાજીને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી મા દુર્ગાની સામે દીવો પ્રગટાવો. હાથમાં સફેદ ફૂલ લઈને મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરો અને તેને બાદમાં માતાજીને અર્પણ કરવા. અક્ષત, કુમકમ અને સિંદૂર પણ ચઢાવવો જોઈએ. બાદમાં માતાજીને ભોજન અને સોપારી ચઢાવો. પછી માતાજીની 3 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પછી આરતી અને ક્ષમાં માંગવી જોઈએ.
આ દિવસે પૂજાના નિયમો અનુસાર પૂજા કરવાથી ચિંતા દૂર થાય છે. સુસ્તી, તણાવ ઘટે છે. પ્રસન્નતા, નિષ્ઠા, આત્મ વિશ્વાસ અને ઉર્જાનો વિકાસ થાય છે અને કામયાબી મળે છે.
આ ભોગથી પ્રસન્ન થાય છે દેવી
સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરી લો અને સાથે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. પહેલાં માને દૂધ, દહીં,અત્તર, ધી, મધ અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરો. મા બ્રહ્મચારિણીને દૂધ અને દૂઘના વ્યંજન પસંદ છે. તો તેનો ભોગ ચઢાવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army