મમતા બેનરજીની પાર્ટી ટીએમસીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
મમતા બેનરજીની પાર્ટી ટીએમસીનો નિર્ણય
એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને સપોર્ટ નહીં કરે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રહેશે દૂર
6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી એકતામાં ભંગાણ સર્જાયું છે. મમતાએ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિના એક પણ ઉમેદવારને વોટ ન આપવાનો નિર્ણય લીધો છે. એનડીએ વતી બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને વિપક્ષ વતી માર્ગરેટ આલ્વા મેદાનમા છે ત્યારે હવે મમતા બેનરજીની પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિના કયા ઉમેદવારને સપોર્ટ આપશે તેને લઈને પત્તા ખોલ્યા છે.
TMC to abstain from vice presidential election: Party leader Abhishek Banerjee
ટીએમસી સાંસદ અભિષેક બેનરજીનું એલાન
કોલકાતામાં યોજાયેલી પાર્ટીની બેઠક બાદ ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે ટીએમસી એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને સપોર્ટ નહીં કરે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટીએમસી એનડીએના ઉમેદવારને સપોર્ટ નહીં કરે. ટીએમસી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી દૂર રહેશે.
Supporting an NDA (VP) candidate doesn't even arise & the way the Opposition candidate was decided, without proper consultation & deliberation with a party that has 35 MPs in both the Houses, we have unanimously decided to abstain from the voting process: TMC MP Abhishek Banerjee pic.twitter.com/GpJobLsk68
6 ઓગસ્ટે થશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટ થશે. એનડીએ વતી બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને વિપક્ષ વતી માર્ગરેટ આલ્વા વચ્ચે ઉપરાષ્ટ્રપતિનો મુકાબલો યોજાશે.
જગદીપ ધનખડને વોટ ન આપી શકાય- અભિષેક બેનરજી
પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જીએ પાર્ટીની બેઠક બાદ કહ્યું કે, પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તા 21 જુલાઈની શહીદ સભામાં વ્યસ્ત છે. ગુરૂવારે મમતા બેનર્જીના નેતૃત્વમાં પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના 33 સાંસદ સામેલ થયા હતા. પાર્ટીની બેઠકમાં તમામ સાંસદોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે જગદીપ ધનખડ રાજ્યપાલ હતા ત્યાં સુધી તેમણે જે રીતે પાર્ટીના નેતા તરીકે હુમલો કર્યો હતો. કોઈપણ કિંમતે એનડીએના ઉમેદવારને સમર્થન નહીં આપે. બીજું માર્ગારેટ આલ્વાને ટેકો આપવો અથવા મતદાનથી દૂર રહેવું.
Margaret Alva has a good equation with Mamata Banerjee but Vice President of the country cannot be elected based on personal equations. So the party has certain issues which were left to MPs to decide & 85% of them said, we should abstain from voting process: TMC MP A Banerjee pic.twitter.com/KN79CQgcI7
ટીએમસી કેમ વોટિંગ નહીં કરે
ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે માર્ગરેટ આલ્વા મમતા બેનરજી સાથે સારા સંબંધો ધરાવે છે પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિને સારા સંબંધોને આધારે ન ચૂંટી શકાય. તેથી ટીએમસીને કેટલાક વાંધા છે અને 85 ટકા સાંસદો આ વાતે સહમત છે. તેથી અમે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે.