જમ્મૂ-કશ્મીરમાં ફરી એકવાર સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. જવાનોએ પુલવામાના ત્રાલ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને 3 આતંકવાદીને ઠાર માર્યા છે. સુરક્ષા જવાનોએ મોડી રાત્રે આ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ત્રણેય આતંકીને ઠાર માર્યા છે.
સુરક્ષાદળોને પુલવામામા મોડી રાત્રે મળી સફળતા
સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન કરી 3 આતંકી કર્યા ઠાર કર્યા
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારમાં મંગળવારે મોટી રાતે 3 આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. આ આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ સ્થાનીક આતંકવાદી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે.
Jammu & Kashmir Police: Three terrorists killed in an encounter with police in Tral. Further details shall follow. pic.twitter.com/2y04yVPedv
મંગળવારે સાંજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકવાદીઓના હોવાની માહિતી મળી હતી. આ સાથે જ તેમણે સર્ચ ઓપરેશન ચાલું કર્યું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી વળીને કાઉન્ટર અટેક્ટ કરી આતંકીઓને ઠાર કર્યાં હતા. તેમની પાસેથી બોમ અને હથિયાર મળી આવ્યાં હતા.
આ હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે ISI
જમ્મુ અને કાશ્મીરમાં ISI હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે. ISI પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ તમામ આતંકવાદી ગ્રુપો સાથે મળીને નવું ગ્રુપ બનાવ્યું છે. જેનું નેતૃત્વ જૈશ- એ - મોહમ્મદ કરી રહ્યું છે. આ ગ્રુપને ગજનવી ફોર્સ નામ આપવામાં આવ્યું છે.