શિયાળાની ઘણી એવી શાકભાજી હોય છે જેને ભૂલથી પણ ફરીથી ગરમ કરીને ન ખાવી જોઈએ. આમ કરવું કેન્સર જેવા જીવલેણ રોગને આમંત્રણ આપવા જેવું છે.
શિયાળામાં જલ્દી નથી બગડતો ખોરાક
આ શાકભાજીને ન કરો વારંવાર ગરમ
બની શકે છે ધીમું ઝેર
શિયાળાની ઋતુમાં રાંધેલો ખોરાક ઘણા દિવસો સુધી ફ્રિઝમાં રાખ્યા વિના પણ સારો રહે છે. ઉનાળાના દિવસોથી વિપરીત, આ ખોરાકમાં બેક્ટેરિયાના વિકાસ અને બગાડનું વધુ જોખમ નથી.
તેથી જ આ સીઝનમાં મોટાભાગના લોકો એક વારમાં વધારે માત્રામાં શાકભાજી અથવા ચોખા જેવી વસ્તુ બનાવીને ખાવાનું પસંદ કરે છે. જેથી વારંવાર કુકિંગ કરવા માટે પાણીમાં હાથ ન બોળવા પડે અને કિચનમાં ન ઉભુ રહેવું પડે.
આમ કરવું તમારા સમયને બચાવશે પરંતુ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. કારણ કે શિયાળામાં આવતા શાકભાજી એવા હોય છે જેને વારંવાર ગરમ કરવા પર તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે સાથે જ તે ટોક્સિક બની જાય છે. તેનું સેવન કરવું શરીરને સ્લો પોઈઝન જેવું બનાવી દે છે. અહીં આજ ફૂડ્સના નામ જણાવવામાં આવી રહ્યા છે જેને એક વખતથી વધારે વખત ગરમ ન કરવું જોઈએ.
કયા શાકભાજીને ન કરવું જોઈએ વારંવાર ગરમ?
પાલક
સેલેરી
ગાજર
બટાકા
શક્કરીયા
લીલા પાંદળા વાળા શાકભાજી
શાકભાજીને કેમ ફરીથી ગરમ ન કરવી જોઈએ?
મોટાભાગના લીલા પાંદડાવાળા શાકભાજી અને ગાજર, સલગમ જે જમીનની અંદર ઉગે છે તેમાં નાઈટ્રેટ સારી માત્રામાં જોવા મળે છે. જ્યારે આ શાકભાજીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે નાઈટ્રેટ્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
નાઈટ્રેટ ફરીથી ગરમ કર્યા પછી ઝેરી બની જાય છે અને આ શાકભાજીને ફરીથી ગરમ કર્યા પછી કાર્સિનોજેનિક પ્રોપર્ટીઝ રિલીઝ થવા લાગે છે. એટલે કે આવા તત્વો જે શરીરમાં કેન્સર પેદા કરતા કોષોના વિકાસનું કારણ બની શકે છે.