પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સહિતની ભારતની 10,000 થી વધુ હસ્તીઓ અને સંસ્થાઓની જાસૂસીના કેસમાં કેન્દ્ર સરકારે બુધવારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ એક મહિનામાં રિપોર્ટ કરશે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલેથી આ માહિતી આપી છે.
રાષ્ટ્રીય સાયબર સિક્યુરિટી કોર્ડીનેટરના નેતૃત્વ હેઠળ રચાઇ કમિટી
કમિટી આ મામલાની વિસ્તૃત તપાસ કરી 30 દિવસમાં સોંપશે અહેવાલ
સૂત્રોએ જણાવ્યું હતું કે જેન્હુઆ કંપનીના ડેટા લીક મામલે સરકારે આ અહેવાલોનો અભ્યાસ કરવા, તેનું મૂલ્યાંકન કરવા અને કાયદાના કોઈપણ ઉલ્લંઘનની આકારણી માટે રાષ્ટ્રીય સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટરના નેતૃત્વ એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. સમિતિ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
Government of India is deeply concerned with any report that suggests that foreign sources are accessing or seeking to access the personal data of our citizens without their consent. GoI takes very seriously the protection of privacy and personal data of Indian citizens: Sources
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 10000થી વધુ ભારતીય હસ્તીઓની ચીન દ્વારા જાસૂસી મુદ્દેના અહેવાલો પ્રકાશિત થતાં જ ખળભળાટ મચી જ પામ્યો હતો. વિપક્ષોએ આ મુદ્દે સંસદમાં પણ મોદી સરકારને ઘેરી હતી, અને તપાસની માંગણી કરી હતી.
કોણ કોણ હતું નિશાના પર?
ભારતના જાહેર જીવનના મોટા નેતાઓ, ધાર્મિક અને સંસ્કૃતિક પૃષ્ઠભૂમિની ખ્યાતનામ હસ્તીઓ અને લગભગ 70 સિટીના મેયર અને ડેપ્યુટી મેયર પણ ચીનના નિશાના ઉપર હતા, આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ગુજરાતના વડોદરા અને જૂનાગઢના મેયર પણ જાસૂસીના મામલે ચીનના નિશાન ઉપર હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ અહેવાલમાં ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં છે અને કહ્યું છે કે વિદેશી સ્રોતો સંમતિ વિના દેશના નાગરિકોનો વ્યક્તિગત ડેટા મેળવવા અથવા શોધી રહ્યા છે. વિદેશ મંત્રાલયે ચીનના રાજદૂત સાથે ભારતની અગ્રણી હસ્તીઓની જાસૂસી કરવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચીને જવાબ આપ્યો કે જેન્હુઆ એક ખાનગી કંપની છે અને આ બાબતે પોતાની સ્થિતિ પહેલા જ સાફ કરી ચૂકી છે.