બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Manisha Jogi
Last Updated: 04:59 PM, 8 April 2023
સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન બનાવવા માટે વાસણ યોગ્ય હોવું જરૂરી છે. ભારતીય રસોડામાં લોખંડની કઢાઈનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, લોખંડની કઢાઈમાં બનાવેલ ભોજનનું સેવન કરવાથી આયર્નની ઊણપ પૂરી કરી શકાય છે. લોખંડની કઢાઈમાં મોટાભાગે સૂકા નાશ્તા અથવા શાક બનાવવામાં આવે છે. લોખંડની કઢાઈ દરેક પ્રકારના ભોજન બનાવવા માટે યોગ્ય નથી. અહીંયા અમે તમને એવા 4 ભોજન વિશે જાણકારી આપી રહ્યા છે, જે લોખંડની કઢાઈમાં બનાવવામાં આવે તો તેનાથી આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
ટામેટા
ટામેટા એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ કારણોસર જો લોખંડની કઢાઈમાં ટામેટા બનાવવામાં આવે તો આ ભોજનનો સ્વાદ બગડી જાય છે અને ભોજનમાં લોઢાનો સ્વાદ આવવા લાગે છે.
પાલક
પાલકમાં ઓક્સાલિક એસિડ રહેલું હોય છે, આ કારણોસર લોખંડની કઢાઈમાં પાલક પકવવામાં આવે તો પાલકનો રંગ કાળો પડી જાય છે. ઓક્સાલિક એસિડ સાથે આયર્નની પ્રતિક્રિયાને કારણે આ પ્રકારે થાય છે. ઉપરાંત ભોજનમાં સ્વાદ આવતો નથી.
ઈંડા
અનેક લોકો લોખંડની કઢાઈમાં આમલેટ બનાવે છે. નિષ્ણાંતો અનુસાર લોખંડની કઢાઈમાં આમલેટ બનાવવી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આમલેટ અથવા ઈંડાની વાનગી લોખંડની કઢાઈ સાથે ચોંટી જાય છે. આ કારણોસર નોન સ્ટીક પેનમાં જ આમલેટ બનાવવી જોઈએ.
માછલી
માછલીને ક્યારેય પણ લોખંડની કઢાઈમાં ના બનાવવી જોઈએ. અનેક માછલીઓ પરતદાર હોય છે, જેથી તે ચોંટી જાય છે. જો તમે વધુ તેલ અથવ બટર લગાવો છો તો પણ તે કાઢવું મુશ્કેલ થઈ જાય છે. જેથી માછલીનો ટેસ્ટ તો ખરાબ થાય જ છે, તેની સાથે સાથે વધુ તેલ અને બટર ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army