બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / There is a fear that India will face a tsunami of serious and deadly diseases like cancer in the near future

ગંભીર ચેતવણી / આવનારા સમયમાં ભારત પર કેન્સરનું મંડરાતું સંકટ! અમેરિકાના નિષ્ણાંતે આપ્યું ચોંકાવનારું તારણ

Kishor

Last Updated: 10:15 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા સમયમાં ભારત પર કેન્સરનું ભયાનક  સંકટ મડરાતું હોય તેવું અમેરિકાના નિષ્ણાંતે જણાવ્યું છે. જેમાં પણ દેશમાં સતત કેન્સરના કેસ અને મૃત્યુદરમાં વધારો થઈ રહયો છે.2022માં કેન્સરથી કુલ 8.8 લાખ લોકો મોતને ભેટ્યાં હતા.

  • ભારત પર કેન્સરની બીમારીના સુનામીનો ખતરો 
  • અમેરિકાના નિષ્ણાંતે આપ્યું ચોંકાવનારૂ તારણ
  • ખાણીપીણી, ખોટી લાઈફસ્ટાઇલથી ખતરો

ભારતને આગામી સમયમાં કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીની સુનામીનો સામનો કરવો પડે તેવી દહેશત હોવાની અમેરિકાના કેન્સર નિષ્ણાતે ચેતવણી આપી છે. આ પાછળનું કારણ જણાવતા વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વસ્તી વધારો અને નબળી જીવનશૈલીને પગલે આ સુનામી આવી શકે છે. તેમણે આ સુનામીને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીના પ્રચાર પર ભાર મુકવા જણાવ્યું છે.

આ 2 કારણોને કારણે થઈ શકે છે કેન્સર, સંશોધનમાં થયેલા મોટા ખુલાસાની  વિશ્વભરમાં ચર્ચા | study found that two major reason smoking and family  history for cancer
ભારતે કેન્સરની રસી પર આગળ વધવું જોઈએ

ડો. ઓહાયો ખાતેના હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના ચેરમેન જામે અબ્રાહમએ વધુમાં જણાવ્યું કે ભારતમાં ગંભીર રોગો વધી રહ્યા છે તેને રોકવા માટે ઝડપી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા જોઈએ ભારતે કેન્સરની રસી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા ડિજિટલ ટેકનોલોજીને આગળ વધારવાની આવશક્યતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ, ખાણીપીણી અને ધુમપાનથી કેન્સર વધી રહ્યા છે.

2020 અને 2022 ની વચ્ચે દેશમાં કેન્સરથી થતા મોતમાં વધારો


ગત મહીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલ  અહેવાલ મુજબ 2020 અને 2022 ની વચ્ચે દેશમાં કેન્સરના કેસ અને મૃત્યુદરમાં અંદાજે વધારો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જાણવ્યા અનુસાર 2020 માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2020 માં કેન્સરના અંદાજિત કેસ 13.92 લાખ જેટલા હતા, જે 2021 માં વધીને 14.26 લાખ અને 2022 માં વધીને 14.61 લાખ થયા છે.આથી કેન્સરમાં ભારતમાં ભયંકર સ્થિતિનું નિર્માણ પામી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.

Topic | VTV Gujarati


WHO એ રિપોર્ટમાં જણાવ્યું કે...

ઉલ્લેખનીય છે કે 2020માં ભારતમાં કેન્સરને કારણે મૃત્યુનો અંદાજિત દર 7.70 લાખ હતો. જેમાં વધારે થતા 2021માં તે વધીને 7.89 લાખ સુધી પહોંચ્યો હતો અને 2022માં વધારા સાથે 8.8 લાખ પાર પહોંચ્યો હતો. WHO ના રિપોર્ટમાં  જણાવ્યા અનુસાર 2020ના વાર્ષિક કેન્સરના નવા કેસોની રેન્કિંગમાં ચીન અને યુએસ પછી ભારતને ત્રીજા સ્થાને રાખ્યું હતું.

મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર અને સ્તન કેન્સરનું મોટું પ્રમાણ

છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ અનુસાર, ભારતમાં પુરુષોમાં મોં અને ફેફસાના કેન્સરના સૌથી વધુ કેસ સામે મહિલાઓમાં સૌથી વધુ કેસ સ્તન અને ગર્ભાશયના કેન્સરના હતા. એક રિપોર્ટ અનુસાર 2018માં ભારતમાં 87 હજાર મહિલાઓ સ્તન કેન્સરને પગલે મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. યશોદા હોસ્પિટલ, (કૌશામ્બી ગાઝિયાબાદ)ના યુનિટ હેડ અને કન્સલ્ટન્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ મેડિકલ ઓન્કોલોજીના ડૉ. અભિષેક યાદવે કહ્યું કે ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. દર વર્ષે કૅન્સરના 10 થી 15 કેસ સામે આવે છે. જ્યારે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1.8 કરોડ લોકો કેન્સરની બિમારીથી પીડાય છે.જેમાંના મોટાભાગના કેસો મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર અને સ્તન કેન્સરના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ