પરિવારે 10 જૂને પોલીસ કમિશ્નરનેના નામે લખ્યો હતો પત્ર
રાજ્યમાં અવાર નવાર વ્યાજખોરીની ઘટનાઓ સામે આવતી હોય છે વ્યાજખોરીને કારણે કેટલાક લોકો પોતાનું જીવન પણ ટુંકાવી દેતા હોય છે ત્યારે રાજકોટમાં ફરીવાર વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. ટ્યૂશન ક્લાસિસના સંચાલક વિજય મકવાણાએ લીધા હતા જે બાદ વ્યાજે રૂપિયા નાણા ન ચુકવાતા વ્યાજખોરો અનેક વાર વિજય મકવાણાને ધમકી આપતા ધમકી મળ્યા બાદ વિજય મકવાણા સહિત આખોર પરિવાર ગુમ પત્ની, પુત્રીનો પણ કોઈ પત્તા ન મળતા અનેક અટકળો વહેતી થઈ છે.
રાજકોટમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવી ગુજરાન કરતો પરિવાર અચાનક ગુમ થઈ ગયો છે આ પરિવાર વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે ટ્યૂશન ક્લાસિસના સંચાલક વિજય મકવાણાએ વ્યાજે 2.3 કરોડ રૂપિયા લીધા હતા બાદમાં વ્યાજખોરો ઉઘરાણી કરતા હોવાથી આ પરિવારે પોલીસ કમિશ્નરને પત્ર લખી જાણકારી આપી હતી
વિજય મકવાણા અને તેની પત્ની, પુત્રી સાથે થયા ગુમ
વ્યાજખોર બિલ્ડર વ્યાજના પૈસા લેવા માટે ધમકાવતા અને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે જે બાદ આ પરિવાર ગુમ થતા અનેક અટકળો વહેતી થઈ છે આ પરિવારએ આપઘાત તો નથી કરી લીધો તેવી અટકળો વહેતી થઈ છે.
પરિવારે બિલ્ડર પાસેથી લીધા હતા વ્યાજે રૂપિયા
વ્યાજખોરાના ત્રાસને કારણે આખો પરિવાર ગુમ થતા હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સંચાલકે બિલ્ડર પાસેથી 2.3 કરોડ વ્યાજે લીધા હોવાનું મનાઈ રહ્યું છે પ્રદ્યૂમન ગ્રૃપના બિલ્ડર જે.પી.જાડેજા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા પરિવાર ગુમ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પરિવાર આપઘાત કરે તેવી અટકળો વહેતી થઈ
વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા આ પરિવારે 10 જૂને શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખી સમગ્ર મામલે જાણકારી આપી હતી જેમાં વ્યાજખોરો ત્રાસ અપાતો હોવાનું અને વ્યાજખોરો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો અને એટલું જ નહીં પરિવાર આપઘાત કરે તો તેના પાછળ બિલ્ડર જવાબદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ પત્ર બાદ રાજકોટના આ પરિવારનો કોઈ પત્તો મળ્યો નથી ત્યારે આ પરિવારે આપઘાત તો નથી કરી લીધો તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકોટ પોલીસે પણ ગુમ થયેલા આ પરિવારને શોધવા માટે શોધખોળ હાથ ધરી છે.