બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / The Supreme Court has become red faced due to the delay in the appointment of judges
Kishor
Last Updated: 09:01 PM, 3 February 2023
ન્યાયાધીશોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી પ્રતિક્રિયા આવી છે. કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘણા સમયથી આ મામલે થઈ રહેલી પ્રક્રિયા ચર્ચામાં રહી છે. ત્યારે હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીમાં ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર ઢીલ રખાતા સુપ્રિમ કોર્ટે નારાજગી દર્શાવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે, 'અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે અસહજ હોય'. ત્યારે બીજી તરફ આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણુક માટે કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણને ઝડપથી મંજૂરી આપશે તેવી ખાતરી આપી દીધી છે.
પાંચ જજની નિમણુક કરવાની છે
મળેલી વિગતો મુજબ કેન્દ્ર સરકારે જવાબ રજૂ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટમાં જે પાંચ ન્યાયાધીશોની નિમણુક કરવાની છે તે માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ છે. કોલેજીયમની આ ભલામણને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપશે. જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેંચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી જવાબ રજૂ કરતા એટર્ની જનરલ આર. વેંકટરમણીએ કહ્યું હતું કે, કોલેજીયમ તરફથી જે ભલામણ આવી છે. તે પાંચ નામોની નિમણૂક માટેનો આદેશ (વોરંટ) ટૂંક સમયમાં પ્રસારિત કરવામાં આવશે.
બેંચના જસ્ટિસે કહ્યું, 'આ ખૂબ ગંભીર મુદ્દો છે'
જજોની નિમણુક મુદ્દે થઈ રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેંચે નારાજગી વ્યક્ત કરી હતી. બેંચના જસ્ટિસે કહ્યું, 'આ ખૂબ ગંભીર મુદ્દો છે, અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે ખૂબ જ અસહજ હોય' ગયા વર્ષે ડિસેમ્બરમાં પાંચ નામોની ભલામણ મોકલવામાં આવી હતી. હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. શું એ રેકોર્ડમાં લેવું જોઈએ કે એ પાંચ જજોની નિમણુક માટે વોરંટ જારી કરાશે? જો એ નોંધશું તો બીજો સવાલ ઉભો જ હશે કે, એ ક્યારે જારી થશે?' જેના પર એટર્ની જનરલે કહ્યું, રવિવાર સુધીમાં વોરંટ જારી થઈ જશે. આ સુનાવણી દરમિયાન બેંચે હવે પછીની સુનાવણી માટે 13 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army