સ્ટેચુ ઓફ યુનિટીને લઈ હવે રાજકારણ ગરમાયું છે. રાજ્યસરકાર વતી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી કરશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સરદાર પટેલની પ્રતિમા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સરકારની પ્રતિક્રિયા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ રાજ્યસરકાર પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તાએ રાજ્યસરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરદારના નામે ભાજપ હવે તેમની પ્રતિમાનો આસરો લઈ રહ્યું છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા:
2014થી સરદારના મુદ્દે મત મેળવવા ભાજપ પ્રયાસ કરે છે.
ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવ્યું પણ એનો કોઇ ઉલ્લેખ નથી.
સરદાર સ્વદેશીની વાત કરતા પણ ભાજપ સ્વદેશીની વાતથી દૂર.
14 પાટીદારોની હત્યા થઇ એ સરદારના વંશજો નહોતા.
તળાવની જમીન પર સ્વર્ણિમ સંકુલ બનાવ્યુ પણ ક્યાય સરદારનું નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે પાટીદારોના મત મેળવવાનો ઇરાદો.
ભાજપને સરદાર કે સરદારની વાતો સાથે કોઇ લેવા દેવા નથી.