બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / The increasing cases of corona across the country became a matter of concern from the government to the people
Malay
Last Updated: 10:23 AM, 16 April 2023
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ સરકારથી લઈને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. આજે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જરૂર જોવા મળ્યો છે પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. રવિવારે દેશભરમાં કોરોનાના 10093 કેસ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા કેસોની સરખામણીમાં આજે થોડો ઘટાડો થયો છે. 10 હજારથી વધુ નવા દર્દીઓની સાથે એક્ટિવ કેસની સંખ્યા હવે 57,542 પર પહોંચી ગઈ છે.
6 હજારથી વધુ લોકો થયા સાજા
કોરોના વાયરસથી રિકવરીની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,248 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો હવે 4,42,29,459 પર પહોંચી ગયો છે અને રિકવરી રેટ 98.68 ટકા છે. બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે દેશમાં 11,109 કેસ નોંધાયા હતા. જ્યારે તે પહેલા ગુરુવારે 10,158 દર્દીઓ મળી આવ્યા હતા.
મૃત્યુઆંક વધતા સ્થિતિ ચિંતાજનક
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સંક્રમણના કેસોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો હતો. કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કારણ કે મૃત્યુઆંક પણ ધીમે-ધીમે વધી રહ્યો છે. શનિવારે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 23 લોકોના મોત થયા હતા. કોરોનાના કેસ વધતા ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
1.79 લાખ લોકોના કરાયા ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, શનિવારે દેશમાં લગભગ 1,79,853 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રસીકરણની વાત કરીએ તો શનિવારે કુલ 807 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દેશાં અત્યાર સુધીમાં 220.66 કરોડ વેક્સિનના ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. તો 23 લોકોના મૃત્યુ બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,31,114 થઈ ગયો છે. કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army