જૂનાગઢમાં એક સપ્તાહ સુધી શિવરાત્રીના મેળાની દીવ્યાનૂભૂતી માણશે ભાવિકો. બેનમૂન વ્યવસ્થા સાથે શરુ થયેલા શિવરાત્રી મેળામાં ભક્તિ-ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ.
જૂનાગઢમાં જીવ અને શિવના સંગમનો મેળો
ભવનાથની તળેટીમાં બે વર્ષ બાદ 'જીવરાત્રી'
અદભૂત વ્યવસ્થા સાથે ભોજન-ભક્તિ સંગમ
જુનાગઢ માં દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં આકર તાપ કરતા નાગસધુઓ આવે છે અને મહાશિવરાત્રીના ની રાત્રે બાર વાગ્યે ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડ માં સ્નાન કરે છે કહેવાય છે કે આ નાગાસાધુઓ ભગવાન શંકર ના સ્વરૂપ છે એટલે જ લાખો લોકો આ નાગાસાધુઓ અને તેમની ટેક ને જોવા ખાસ આવતા હોય છે.. પાંચ દિવસ લોકો વચ્ચે રહીને નગ્ન સ્વરૂપે પોતાના તપ અને ટેક થી લોકો અચંબિત થઇ જાય છે શિવ રાત્રિ બાદ આ નાગા સાધુઓ ગિરનાર ના જંગલમાંજ તપશ્ચર્યા કરતા હોય છે ત્યારે અનેક સાધુઓ અલગ અલગ ધાર્મિક સ્થળો પર પોતાના આશ્રમો અને કુટીરો બાંધી રહેતા હોય છે અને ત્યાંજ રહી શિવ ની આરાધના કરતા હોય છે. શિવરાત્રી ના મેળા માં આવનારા નાગા સાધુઓ માં ઘણા અઘોરી સાધુઓ પણ હોય છે..શિવરાત્રી ના મેળા માં નાગા સાધુઓ ચરસ અને ગાંજા નું સેવન કરતા હોય છે ત્યારે અલખ નિરંજન ના નાદ સાથે શિવરાત્રી દરમ્યાન ધુણા ધખાવી બેસી જતા હોય છે.
શિવરાત્રીના મેળાનું અનેરું આકર્ષણ
મહા શિવરાત્રી મેળાનું અનોખું મહત્વ છે લોકો ધાર્મિક સાથે અધ્યાત્મિક રૂપે આ મેલા ને માણે છે અહી આવતા હજારો નાગસાધુઓ લોકો માટે ખાસ અકર્શ્ન બની રહે છે કેટલાક કાંટા ની પથારી કરી તેના પર સુતા જોવા મળે છે તો કેટલાક એક પગે ઉભા કે લટકતા જોવા મળે છે શિવ ને પામવાની બધા સાધુઓની પોતાની તપશ્ચર્યા અનોખી છે ત્યારે લાખો ની સંખ્યા માં ભાવિ ભક્તો શિવ અને સાધુ ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે શિવરાત્રી ના મેળા માં માત્ર ભારત નહિ પરંતુ અન્ય દેશ વિદેશ માંથી પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડતાં હોય છે. છેલા બે વર્ષ થી જ્યારે કોરોના ના કારણે લોકો શિવરાત્રી ના મેળા નો લાભ લઇ શક્યા ના હતા ત્યારે આ વર્ષે સરકાર દ્વારા શિવરાત્રી ના મેળા નું સુંદર આયોજન કરવામાં આવ્યું અને પ્રથમ દિવસ થી જ માનવ મેરામણ ઉમટ્યું પડ્યું છે ભવનાથ તળેટી પર તંત્ર દ્વારા સજ્જ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે, સ્ટ્રીટ લાઈટ,સફાઈ,કંટ્રોલ રૂમ બધું તૈયાર કરવામાં આવ્યું છે જેથી મેળા માં આવતા લોકો ને તકલીફ ના પડે અને આયોજન પૂર્વક મેળા નો આનંદ લોકો લઈ શકે.
ભગવાન શિવ આવતા હોવાની વાયકા
આ શિવરાત્રીના મેળા અંગે નાગાસાધુ કહે છે શંકર ભગવાન અને દેવી દેવતાઓ ખુદ શિવરાત્રીના રાતે અહી આવે છે અને નાગાસાધુ સ્વરૂપે સ્નાન કરે છે. દેશમાટે કે હિંદુ ધર્મ ની રક્ષા માટે જરૂર પડે તો નાગાસાધુ પોતાની ફોજ ઉભી કરવા પણ તૈયાર છે. ૩૩ કરોડ દેવતા ઓના સાક્ષી ગણાતા ગીરનાર પહાડ અને તેની તળેટીમાં આવેલ ભવનાથ મંદિર નું પૌરાણિક મહત્વ છે. શિવરાત્રી નાગસધુઓની રવાડી નીકળે છે જેનું ખાસ મહત્વ છે. મૃગી કુંડ માં સ્નાન ખુબ પવિત્ર ગણાય છે .
ભજન સાથે અવિરત ભોજન પ્રવાહ
મીની કુંભ તરીકે જાણીતા આ મેળા નું ખાસ મહત્વ છે. મેળા દરમિયાન જુનાગઢ ના ભવનાથ અને ગીરનાર તળેટીમાં અનેક અન્નક્ષેત્રો ચાલે છે જેમાં દરરોજ લાખો લોકો ભોજન લે છે આશ્રમોમાં મેળામાં આવતા યાત્રાળુઓ ને ભોજન, ભજન અને આરામ કરવા માટે પુરતી સગવડ મળી રહે છે. આ અન્ન્ક્ષેત્રોમાં કાચી સામગ્રી કયાંથી આવે છે એ કોઈ નથી જાણતું પરંતુ સતત રસોડા ચાલુ રહે છે અને સાધુ ખુદ પોતાના હાથે પીરસી ને જમાડે છે સાધુ સંતો માટે આ પાંચ દિવસ મ્હૌત્સ્વ જેવા બની રહે છે. ભવનાથ માં આવેલ ગોરક્ષનાથ આશ્રમ માં 365 દિવસ અન્નક્ષેત્ર ચાલે છે જેમાં જાત જાતના ભોજન પીરસવામાં આવે છે અને ખાસ કરીને મહાશિવરાત્રી પર દરરોજ એક થી દોઢ લાખ લોકો અહી ભોજન નો આનંદ મેળવે છે અને આખી રાત દિવસ ભજન સાંભળી ધન્ય બને છે.
મૃગીકૂંડનું મહાત્મ્ય
શિવરાત્રી ના દિવસે રાત્રે 12 વાગ્યે રવાડી નીકળ્યા બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરતા હોય છે આ મૃગી કુંડમાં માં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે વર્ષો પહેલા જ્યારે ગિરનાર પર્વત ના બદલે કહેવતો રૈવત પર્વત કે જ્યાં ઉજૈન ના રાજા ભોજ વિહાર માટે આવેલ ત્યારે તેને એક કન્યા ખુબજ ગમી ગઈ અને તે કન્યા ને પોતાની પત્ની બનાવ્વા ઇચ્છુક હતા પરંતુ આ કન્યા નું મુખ મૃગ જેવું હતું અને શરીર કન્યા જેવું હતું રાજા ભોજને આ શ્રાપિત કન્યા છે તેવું ખ્યાલ આવતા ઋષમુનીઓ પાસે જઈ આ કન્યા ને શ્રાપ મુકત કરવા ના ઉપાયો પૂછતા ઋષિ મુનિઓ એ કન્યા ને રૈવત પર્વત પરથી વહેતી સૂર્ણા ગિરિ નદી માં સ્નાન કરાવવાથી કન્યા તેના મૂળ સ્વરૂપમાં આવી જવા કરી વાત તેથી આ કન્યા ને ત્યાં સ્નાન કરાવી તેને શ્રાપ મુક્ત કરી ત્યાર થી આ કુંડને મૃગી કુંડ તરીકે ઓળખવામાં આવે છે અને સાધુ સંતો તેમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે
યાત્રિકો માટે ખાસ વ્યવસ્થાઓ
શિવરાત્રી ના મેળા ની મંજુરી કોરોના ની ગાઈડ લાઇન મુજબ સરકારે યોજવાનું આયોજન કરેલ છે ત્યારે જૂનાગઢ જિલા પંચાયત,મનપા તથા સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય લક્ષી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે 24 કલાક આરોગ્ય સેવા આપવા માટે 3 દવાખાના ઊભા કરવામાં આવ્યા છે અને એ સિવાય સિવિલ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી સેવા માટે ICU, વેન્ટીલેટર સહિત ની સુવિધાઓ વાળું એક દવાખાનું પણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે શિવરાત્રી ના મેળા માં આવનારા લોકો એ વેક્સિન ના લીધી હોય તો તેના માટે વેક્સીલેશન વોર્ડ અલગ અલગ જગ્યા પર ઊભા કરવામાં આવ્યા છે