શ્રીગણેશ વિદ્યાલયે કોરોના કાળમાં બાળકોની ફી માફી કરવાનો આવકાર દાયત નિર્ણય લેતા સૌ કોઈ શાળાના આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે.
જૂનિયર કેજીથી લઈ ધોરણ 1 સુધી વિદ્યાર્થીઓની ફી માફ
કોરોનાના કારણે શાળાએ ફી માફી કરવાનો લીધો નિર્ણય
બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે શાળાનો પ્રયાસ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી શ્રીગણેશ વિદ્યાલયે કોરોના કાળમાં એક મહત્વનો નિર્ણય લીધો છે, શ્રીગણેશ વિદ્યાલયે કોરોના કાળમાં બાળકોની ફી માફી કરવાનો આવકાર દાયત નિર્ણય લેતા સૌ કોઈ શાળાના આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે.
શ્રીગણેશ વિદ્યાલયે શાળાએ જૂનિયર કેજીથી લઈને ધોરણ.1 સુધીના વર્ગોની ફી માફ કરવાનો નિર્ણય લેતા વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. કોરોનાની હાલની સ્થિતિમાં એક તરફ ઘણી સ્કૂલના સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે,
કોરોનાના કારણે ઉદ્યોગ ધંધા પર અસર
કોરોના કારણે દરેક ઉદ્યાગ ધંધા પર માઠી અસર થઈ છે જેને કારણે વાલીઓ ફી પણ ભરી શકવા સમર્થન ન હોવાને કારણે શ્રીગણેશ વિદ્યાલયના સંચાલકોએ ધોરણ 1 સુધીના બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનાો નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે.
ધોરણ 1 સુધીના અંદાજીત 200 થી 350 બાળકોના અભ્યાસ પર વિપરીત અસર ન પડે તે હેતુસર બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવા માટે શાળાએ ફી માફ કરવાનો નિર્ણય લીધો છે જુલાઈ-2021 સુધીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે.
શાળાની આ પહેલને આવકારી રહ્યા છે
કોરોનાકાળમાં શાળાનો વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય ખરેખર આવકારદાયક છે ગણવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે કોરોના કાળમાં કેટલાક શાળા સંચાલકો વાલીઓ પાસે ફી વસુલી કરતા હોય છે ત્યારે શ્રીગણેશ શાળા દ્વારા કરવામાં આવેલી પહેલનો સૌ કોઈ આવકારી રહ્યું છે.