બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The controversy over Jairaj Singh Jadeja's convention turned into a police barrage.

વિવાદ / જયરાજસિંહ જાડેજાના મહાસંમેલનને લઇ રીબડા ફેરવાયું પોલીસ બેડામાં, ગત મોડી સાંજે 2 જૂથ વચ્ચે થઇ હતી ઉગ્ર બોલાચાલી

Malay

Last Updated: 09:25 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બબાલ બાદ થયાની ચર્ચા વહેતી થતાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હાલ રીબડામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. આપને જણાવી દઈએ કે, ગત મોડી સાંજે યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

 

  • ગોંડલના રીબડામાં યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ
  • ગત મોડી સાંજથી રીબડામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ
  • રાજકોટ રૂરલ SP જયપાલસિંહ રાઠોડ સહિત પોલીસનો કાફલો તૈનાત 

ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ગત મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આને રાજકીય ચાલ ગણાવી હતી. 

રીબડામાં રાજકોટ રૂરલ એસ.પી જયપાલસિંહ રાઠોડ સહિત પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. આજે સાંજે રીબડામાં જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહના રીબડામાં મહાસંમેલનને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

જયરાજસિંહ જાડેજા વિરોધી પર બરોબરના વરસ્યા 
ગઈકાલે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા વિરોધી પર વરસ્યા બરોબરના વરસ્યા હતા. તેમણે કહ્યું હ કે , આ અમુક લોકો જે છે તે રાજ કરી રહ્યા છે તેમને હટાવવા છે તેમણે જણાવ્યું છે કે, આઝાદીની પ્રથમ ઘટના છે કે રીબડાવાળા સામે લડ્યાને 200 મત મળ્યા હોય તેમણે કહ્યું કે, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે તેઓ રીબડામાં દાખલ થઇ જાઓ. તેમણે કહ્યું કે, તમે રીબડામાં દાખલ થઈ જાઓ એટલે એ લોકોની ગાજરની પીપોડી બંધ થઈ જાય તેમણે કહ્યું કે, હું રીબડાનો આભાર માનું છું કે મને 212 મત આપ્યા છે આ 200 મત 20 હજાર જેવા છે. 

ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે થયું હતું સમાધાન 
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. 

અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામ-સામે આવ્યા હતા
રાજકોટના ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો હતો અને ક્ષત્રિય આગેવાનોમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે મહારમખાણ સર્જાયું હતું અને જયરાજસિંહ જુથ અને અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે ખુલ્લેઆમ ધમકીઓનો દોર શરૂ થઈ ગયો હતો. ચૂંટણી પહેલા રીબડા જૂથે રાજદીપસિંહ જાડેજા, સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી હતી, જેની સામે જયરાજસિંહે તેમના દીકરા અને પત્ની માટે ટિકિટની દાવેદારી કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ